ઘઉં

ઘઉંમાં છૂટી મેસ

Ustilago segetum var. tritici

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફૂલ આવવાના થોડા સમય પહેલાં અથવા તે દરમિયાન લક્ષણો દેખાય છે.
  • કાળા પડી ગયેલા ડૂંડાં અને અનાજના દાણા કાળા પાવડર જેવા હોય છે અને ખાસ કરીને તે "મરેલી માછલી" જેવી ગંધ ધરાવે છે.
  • વિકાસશીલ ડૂંડાંનો ગર્ભ ફૂગમાં ફેરવાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

ઘઉં

લક્ષણો

ફૂલ આવવાના થોડા સમય પહેલાં અથવા તે દરમિયાન લક્ષણો દેખાય છે અને તેને કાળા પડી ગયેલા ડૂંડાં સાથે કાળા પાવડર જેવા અનાજના દાણા તથા ખાસ કરીને "મરેલી માછલી" જેવી ગંધથી દર્શાવી શકાય છે. વિકાસશીલ ડૂંડાંનો ગર્ભ ફૂગમાં ફેરવાય છે અને ચેપગ્રસ્ત ડૂંડામાં અનાજનો વિકસ થતો નથી. સમગ્ર વિશ્વના ઘઉં પકવતાં પ્રદેશોમાં તે ઘણો સામાન્ય રોગ છે. એકંદરે ચેપગ્રસ્ત ડૂંડાથી ઊપજને નુકશાન થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

4-6 કલાક માટે 20-30 ° સે ગરમ પાણીમાં બીજને ડુબાડી. પછીથી, તેને 2 મિનિટ માટે 49 ° સે ગરમ પાણીમાં ડુબાડી રાખવા. પછીના પગલામાં બીજને પ્લાસ્ટિકની ચાદરમાં રાખી અને બીજા 4 કલાક માટે સૂર્યપ્રકાશમાં તપાવો. વાવેતર પહેલાં બીજ સંપૂર્ણપણે હવામાં તપાવીને સુકાયેલા હોવા જોઈએ. આનાથી ચેપ લાગવાનું જોખમ ઘટે છે. પરંતુ તે બીજના અંકુરણ દર પર અસર કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બિયારણને કાર્બોક્સીન અથવા ટ્રાયએડીમેનોલ જેવા કે પ્રણાલીગત ફુગનાશક સાથે સારવાર આપી શકાય, જે અંકુરણ પામતા બીજમાં ફુગની વૃદ્ધિ અટકાવે છે અથવા તેનો નાશ કરે છે. અન્ય સંયોજનોનો તરીકે ટ્રાયટીકોનેઝોલ, ડાયફેનોકોનેઝોલ અને ટબુકોનેઝોલ બીજની સારવાર ઉપલબ્ધ છે.

તે શાના કારણે થયું?

બીજજન્ય ફૂગ ઉસ્ટિલેગો ટ્રીટીસીના કારણે આ લક્ષણો નિર્માણ થાય છે, જે ચેપી ઘઉંના દાણામાં નિષ્ક્રિયતાથી ટકી રહે છે. ફૂગનો વિકાસ છોડના જીવન ચક્રની સાથે સાથે ગતિ પામે છે. જયારે ઉપદ્રવ પામેલ બીજનું અંકુરણ થાય છે, કુમળા ઘઉંના છોડના અંકુરની સાથે સાથે ફૂગ વૃદ્ધિ શરૂ કરે છે અને છેવટે ફૂલની પેશીઓને અસર કરે છે. પરાગરજના બદલે, ફૂલો ફૂગના બીજકણ વિખેરે છે જે પવન દ્વારા બીજા તંદુરસ્ત ફૂલો પર ફેલાય છે. જ્યાં, તે અંકુરણ પામી અને આંતરિક પેશીઓમાં વૃદ્ધિ પામવાનું શરૂ કરે છે, છેવટે તે નવા બીજમાં ભળે છે. અસરગ્રસ્ત બીજ નિષ્ક્રિય ફૂગ ધરવે છે પરંતુ દેખાવમાં તંદુરસ્ત હોય છે. આ ચક્ર બીજની વાવણી સાથે ફરીથી શરૂ થાય છે. ફેલાવાના અન્ય સાધનોમાં લણણી બાદના અવશેષો, વરસાદ અને જંતુઓનો સમાવેશ થાય છે. રોગના બીજના ઝડપી વિકાસ માટે વરસાદ અથવા ઝાકળ સાથે ભેજવાળું હવામાન (60-85% સાપેક્ષ ભેજ) અને 16-22 ° સે વચ્ચેનું ઠંડુ તાપમાન એ સાનુકૂળ પરિસ્થિતિ છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડમાંથી અથવા રોગ મુક્ત પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ બીજ વાપરો.
  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોની વાવણી કરો.
  • જ્યારે વિવિધ ખેતરમાં કામ કરો ત્યારે ખેતીના સાધનો, હાથ અને બુટ-ચપ્પલ સ્વચ્છ રાખવાની ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો