બટાટા

કાળી પોપડી

Rhizoctonia solani

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • બટાકાની સપાટી પર કડક, કાળા રંગની ઉપસેલા ટપકાં(પોપડી).
  • ઉપલા મૂળ અને નવા અંકુર પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ સાથે કથ્થાઈ, ચુસાયેલ ભાગ.
  • પાંદડાં ચીમળાવવા અને વિકૃત બનવા.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

બટાકાની ગાંઠની સપાટી પર અનિયમિત આકાર અને કદના કાળા રંગના ઉપસેલા ટપકાં(પોપડી) જોવા મળે છે. કાળા ચિહ્નોને ઘસીને અથવા ખોતરીને સહેલાયથી દૂર કરી શકાય છે. આ ટપકાની આજુબાજુ સફેદ રંગના ફુગના કણો બહિર્ગોળ કાચથી જોઈ શકાય છે. આ ફૂગ ના કારણે નવા અંકુર અને થડ પર થડ પર લગતી ફૂગ સાથે સામ્યતા ધરાવતા લક્ષણો પણ નિર્માણ પામે છે. મૂળ પર સફેદ રંગની ફૂગથી ઘેરાયેલ કથ્થાઈ, ચુસાયેલ ભાગ નિર્માણ થાય છે. જો આ સડો થડને ફરતે પટ્ટો રચી પાણી અને પોષક્તત્વોના વહનને અટકાવે તો પાંદડાંના રંગમાં વિકૃતિ આવે છે અને કરમાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ચાસમાં ટ્રાઇકોડર્મા હરઝિનીયમ અથવા નિરોગી રીઝોકટોનીયાની પ્રજાતિ જેવા જૈવિક ફૂગનાશક વાપરી શકાય છે. આનાથી ખેતરમાં કાળી પોપડીના રોગનો બનાવ અને અસરગ્રસ્ત કંદની સંખ્યા ઘટાડી શકાય છે. ચાસમાં છાણિયું ખાતર નાખવું અથવા રાયડાના લીલા અવશેષોનો ધુમાડો કરવો એ પણ અન્ય વિકલ્પ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફલુઓડિયોકશીનીલ અથવા થિયોફેનેટ-મિથાઇલ અને મેન્કોઝેબના મિશ્રણથી બિયારણને સારવાર વિવિધ ફુગજન્ય રોગના ફેલાવા ને અટકાવવામાં અસરકારક છે, કાળી પોપડીનો રોગ તેમનો એક છે. ચાસમાં વાવણી દરમ્યાન ફલુઓટેનીલ અથવા એઝોકસીસ્ટ્રોબીન થી સારવાર પણ ફુગને ફેલાતા અટકાવવામાં મદદ કરે છે.

તે શાના કારણે થયું?

રીઝોકટોનીયા સોલાની ફુગના કારણે કાળા રંગની પોપડી નિર્માણ થાય છે. 5 થી લઇને 25° સે સુધીના તાપમાને આ ફૂગ બટાકાની ગેરહાજરીમાં પણ લાંબા સમય સુધી જમીનમાં અસ્તિત્વ ટકાવી રાખે છે. આ ચેપ માટી અથવા વાવણી માટેની વપરાયેલ ચેપી સામગ્રીના ઉપયોગથી નિર્માણ થઈ શકે છે. ખરેખર ફૂગથી સડો નિર્માણ થતો નથી પરંતુ પરંતુ આ કંદ આગળ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવો જોઇએ નહિ. ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં ચેપ વધુ ફેલાય છે. છોડના શરૂઆતના વિકાસના તબક્કા દરમિયાન હૂંફાળું તાપમાન રોગની અસર ઘટાડે છે. હળવી અને રેતાળ જમીનમાં કાળી પોપડી અને થડમાં ફૂગનો રોગ જોવા મળવો ઘણું જ સામાન્ય છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્રોત તરફથી પ્રાપ્ત બિયારણની સામગ્રીનો ઉપયોગ કરો.
  • ઋતુની શરૂઆતમાં વહેલી વાવણી ન કરો.
  • હુંફાળી જમીનમાં (8 ° સેથી વધુ) બિયારણની ગાંઠનું વાવેતર કરો.
  • જમીનમાંથી વહેલા અંકુરણ માટે છીછરા ચાસનો ઉપયોગ કરો.
  • પાકની ફેરબદલીનું આયોજન કરો.
  • બિન-યજમાન પાકના અવશેષો લણણી પછી જમીનમાં જ રહેવા દો.
  • ખાસ કરીને સૂકા સમયગાળામાં, છોડને પૂરતું પાણી પૂરું આપો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો