મકાઈ

મકાઇમાં કાળી મેસ

Ustilago maydis

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • બીજાંકુરણ તબક્કામાં છોડનો વિકાસ અટકેલો દેખાય છે અને તેની પર ફૂલ કે ડૂંડા આવતાં નથી.
  • જૂના છોડ પર, ચેપના કારણે ડૂંડા પર કાળી મેસથી ભરેલ ગાંઠની રચના થાય છે.
  • તે તૂટતાં, તેમાં કાળા રંગના પાવડર જેવું દ્રવ્ય દેખાય.
  • પાંદડા પર, ગાંઠનો વિકાસ સામાન્ય રીતે નાનો હોય છે અને તૂટ્યા વગર સૂકાઇ જાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

આ ફુગથી છોડના તમામ સક્રિયપણે વિકાસ પામતાં ભાગોને ચેપ લાગી શકે છે. ઇજાઓ પ્રત્યે તેનો સ્વભાવ અને તેમની વૃદ્ધિની ક્ષમતા ના કારણે તે અત્યંત નાટકીય લક્ષણો બતાવે છે. છોડ બીજાંકુરણના તબક્કામાં ચેપ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. તે કિસ્સામાં, છોડનો વિકાસ અટકેલો દેખાય છે અને તેની પર ફૂલ કે ડૂંડા આવતાં નથી.. જૂના છોડ પર, ચેપના કારણે યજમાન અને ફૂગની પેશીઓ મિશ્રણ વાળી ગાંઠની વૃદ્ધિ થાય છે. આ ગાંઠ તેના પ્રારંભિક તબક્કે લીલાશ પડતા સફેદ રંગની હોય છે અને પરિપક્વ થતા કાળા રંગની બને છે. તે ખાસ કરીને ડૂંડાનું લક્ષણ છે, અને દરેક દાણો પોતાની આગવી ગાંઠની રચના કરી શકે છે. તે તૂટતાં, તેમાં કાળા રંગના પાવડર જેવું દ્રવ્ય દેખાય. પાંદડા પર, ગાંઠનો વિકાસ સામાન્ય રીતે નાનો હોય છે અને તૂટ્યા વગર સૂકાઇ જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ ફૂગનું સીધુ નિયંત્રણ મુશ્કેલ છે અને અત્યાર સુધી આ રોગકારક ફૂગ સામે બિનઅસરકારક પદ્ધતિનો જ વિકાસ થયો છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બિયારણ અને પાંદડાં પર ફુગનાશકોથી સારવાર મકાઈમાં આ સામાન્ય કાળી મેસના ચેપનું પ્રમાણ ઘટાડી શકતો નથી.

તે શાના કારણે થયું?

મકાઈમાં સામાન્ય કાળી મેસ નો રોગ ઉસ્ટિલેગો માઇડીસ ફૂગના કારણે થાય છે, જે ઘણા વર્ષો સુધી જમીનમાં ટકી શકે છે. રોગના બીજકણો પવન, માટીના રજકણ અને વરસાદના છાંટાં દ્વારા છોડ પર ફેલાય છે. ચેપની પ્રક્રિયાને જીવજંતુઓ, પ્રાણીઓ, નબળી ખેતી પદ્ધતિઓ અથવા કરા દ્વારા થતી ઇજાઓ ના કારણે અનુકૂળતા રહે છે. એક છોડ પરથી બીજા પર ચેપના ફેલાવાનું કોઈ જ પ્રકારનું બીજા તબક્કાનું પરિવહન નથી. ખાસ કરીને વિશાળ વૃદ્ધિની સંભાવના ધરાવતી પેશીઓ (જેમ કે ડૂંડા, વધતી ટોચ) માં લક્ષણો તીવ્ર હોય છે. હવામાનની ચરમસીમા કે જેમાં નિમ્ન પરાગ ઉત્પાદન અને પરાગનયનનો દર નબળો હોય (જેમ કે દુકાળ પછી ભારે વરસાદ) તે ફૂગના ફેલાવા માટે વાહક બને છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો સહિષ્ણુ જાતો ઉગાડો.
  • છોડની વચ્ચે વિશાળ જગ્યા રાખવા ખાતરી કરો.
  • કાળા ફુગના બીજકણ છુટા પડે તે પહેલા ગાંઠનું નિરીક્ષણ કરો, ભેગા કરો અને તેને દૂર કરો.
  • જંતુઓ અને અન્ય જીવાતો દ્વારા થતા નુકશાનનું નિવારણ કરો.
  • ખેતીની પદ્ધતિ દરમિયાન પાકને નુકસાન થતું ટાળો.
  • ખેતીની સાધન અને સામગ્રી સ્વચ્છ હોય તેની ખાતરી કરો.
  • અતિશય નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાનું ટાળો.
  • લણણી પછી છોડના બધા અવશેષ દૂર કરો અને ચેપગ્રસ્ત છોડના ભાગનું કોમ્પોસ્ટ ખાતર કરવું નહિ.
  • લણણી પછી છોડના કચરાને દફનાવવા ઊંડી ખેડ કરો.
  • બિન-યજમાન પાક સાથે લાંબા ગાળાની પાકની ફેરબદલીનું આયોજન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો