પિઅર

યુરોપિયન પિઅરમાં કાટ જેવું દ્રવ્ય

Gymnosporangium sabinae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની ઉપરની સપાટી પર ચમકદાર-નારંગી-લાલ રંગના, ગોળાકાર ટપકાં જોવા મળે છે.
  • પાંદડાની નીચેની સપાટી પર કથ્થઈ રંગની ગાંઠ જેવો વિકાસ દેખાય છે.
  • ક્યારેક, ડાળીઓ અને થડની કુમળી છાલમાં સુકાયેલ છાલા.

માં પણ મળી શકે છે

1 પાક
પિઅર

પિઅર

લક્ષણો

સૌપ્રથમ પાંદડાની ઉપરની સપાટી પર નાના, કથ્થઈ રંગના, ગોળાકાર ટપકાં વિકસે છે. જેમ જેમ તેઓ વિકાસ પામે છે તેમ તેમ, તેઓ ઘેરા કથ્થઈ રંગના કેન્દ્ર સાથે તેજસ્વી નારંગી-લાલ રંગમાં ફેરવાય છે. ઉનાળાના અંત ભાગમાં, પાંદડાની નીચેની સપાટી પર અનાજના દાણા જેવા આકારના, કથ્થાઈ રંગના અને ગુમડા જેવો વિકાસ જોઈ શકાય છે. ક્યારેક, ડાળીઓ અને કુમળા થડની છાલમાં ફૂગના કારણે ઝખ્મ અને સુકાયેલ ચાઠાં પણ નિર્માણ થઇ શકે છે. ભલે ફળો પર સીધી અસર ન થતી હોય, પણ ગંભીર ચેપના કિસ્સામાં પાનખર તેમજ પાકને નુકસાન થઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી, આ રોગ માટે કોઈ જ જૈવિક સારવાર જાણમાં નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. ઓછી માત્રામાં લાગેલ ચેપ સામાન્ય રીતે કોઈ સમસ્યા નિર્માણ કરતો નથી અને તેને અવગણી શકાય છે. રોગને નિયંત્રિત કરવા માટે ડાયફેનોકોનેઝોલ આધારિત ફૂગનાશકનો ઉપયોગ કરી શકાય છે. ઘરના બગીચા માટે, ટેબુકોનાઝોલ, ટ્રાયટીકોનેઝોલ સાથે ટેબુકોનાઝોલ, અને ટ્રૅસિકોનોઝોલ ફુગનાશક આ કાટના રોગોના નિયંત્રણ માટે પ્રમાણિત કરવામાં આવેલ છે.

તે શાના કારણે થયું?

જીમનોસ્પોરન્જિયમ સાબીની ફૂગને કારણે આ લક્ષણો નિર્માણ થાય છે, જે પિઅરના વૃક્ષો અને જ્યુનિપર્સ બંને પર હુમલો કરે છે. પીઅર એ આ પરોપજીવી માટે માત્ર એક મધ્યસ્થ યજમાન છે અને બંને વૃક્ષને તેનું જીવનચક્ર પૂર્ણ કરવું જરૂરી છે. તે છોડની નાશ પામેલ સામગ્રી પર ટકી શકતાં નથી, અને તેથી તે વૈકલ્પિક યજમાનો વચ્ચે ફર્યા કરે છે. આ ફૂગ નિષ્ક્રિય સમયગાળો જ્યુનિપરમાં ગાળે છે, જે તેના માટે પ્રાથમિક યજમાન છોડ છે. વસંત ઋતુમાં, રોગના બીજકણ જુનિપરમાંથી ફેલાય છે અને નજીક આવેલ પિઅરના વૃક્ષોને ચેપ લગાડે છે. પિઅરના પાંદડાની નીચેની બાજુએ ઉદ્ભવેલા ફોલ્લીઓ ખરેખરતો રોગના બીજકણ ઉત્પન્ન કરતાં માળખાં છે. આ રોગના કણ પિઅરના પાંદડાને ફરીથી ચેપ લગાડી શકતા નથી, તેથી ઉનાળાના અંતમાં, લાંબા અંતરે (500 મીટર સુધી) વિખરાઈને નવા જુનિપર્સને ચેપ લગાડે છે. ત્યાં, શાખાઓ પર બારમાસી શીંગડાં જેવા ઢીમા નિર્માણ કરે છે. ખાસ કરીને વસંત ઋતુ બાદ, વધુ ભેજની પરિસ્થિતિમાં આ વધારાનો વિકાસ સ્પષ્ટ જોવા મળે છે.


નિવારક પગલાં

  • જ્યુનિપર પર રહેલ ફૂગના માળખાને કાળજીપૂર્વક કાપીને દૂર કરો.
  • વૈકલ્પિક રીતે, નજીકમાં રહેલ જ્યુનિપર વૃક્ષને દૂર કરો.
  • તમારા પિઅરના વૃક્ષોમાં સામાન્ય તાજગી ટકી રહે તે માટે ફોર્ચિફાયર્સનો ઉપયોગ કરો.
  • પિઅર પર દેખાતી દરેક ચેપગ્રસ્ત ડાળીને, એક પણ પાંદડું ન રહે તે રીતે, કાપી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો