અન્ય

ફૂલો ખરી પડવા

Blossom drop

અન્ય

ટૂંકમાં

  • કુમળા ફૂલોનો અચાનક નાશ થવો.
  • ફૂલો ખરવા.


અન્ય

લક્ષણો

છોડ સરસ રીતે ખીલે છે, પરંતુ પછી ઘણીવાર ફૂલો નાશ પામે છે અને ખરી પડે છે. કેટલીકવાર, ખરતા પહેલા, ફૂલની દાંડી પીળી થઈ જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

નિવારક પગલાં લેવા એ જૈવિક નિયંત્રણ માટે મુખ્ય બાબત છે. તમારા ઓર્ગેનિક ઉત્પાદન માટે છોડના વિકાસનું નિયંત્રણ કરતા પદાર્થ માટે પરવાનગી છે કે કેમ તે તપાસો. અને જો એવું હોય તો, રાસાયણિક નિયંત્રણ માટેની માર્ગદર્શિકા વાંચો.

રાસાયણિક નિયંત્રણ

GA3 અથવા NAA જેવા ખાસ છંટકાવ કરીને ખેડૂત તેમના ગ્રીનહાઉસ માં રહેલ છોડ પર વધુ ફૂલો નિર્માણ કરી શકે છે. સૂચન દર્શાવે છે તેમ, યોગ્ય સમયે ફૂલો પર છંટકાવ કરવો જરૂરી છે. ધ્યાનમાં રાખો કે ફૂલો પર ઘણી બાબતો અસર કરતી હોવાથી, આ છંટકાવ દર વખતે કામ ન પણ આપે. આ દરેક સમસ્યાનું નિવારણ નથી.

તે શાના કારણે થયું?

પરાગનયન અને છોડની તંદુરસ્તીને બગાડતા પરિબળો અથવા પરાગનયન કરતા પરિબળોની ગેરહાજરીને કારણે ફૂલોમાં ઘટાડો થઈ શકે છે. ફૂલો ખીલ્યા બાદ અનુકૂળ ન હોય તેવું વધુ-ઓછું તાપમાન, તેમજ ભેજનું સ્તર મહત્વપૂર્ણ કારણો છે. વધુ પડતા નાઇટ્રોજનના કારણે ફૂલોને બદલે પાંદડાનો વધુ વિકાસ થાય છે જેથી ફળોનો વિકાસ ઓછો થાય છે, જ્યારે નાઇટ્રોજન ખૂબ જ ઓછું હોય તો વેલા નબળા રહે છે અને ફળને ટેકો આપી શકતા નથી. ઓછા પાણીમાં છોડ સુકાય છે, અને પાણી વધુ હોય તો મૂળને હવા મળતી નથી જેથી ફૂલો ઘટી શકે છે. થ્રીપ્સ અને જીવાત છોડની પેશીઓને નુકસાન પહોંચાડે તો પણ ફૂલો ખરી શકે છે, અને ફૂગ પડે તો પણ ફૂલો ઘટી જાય છે.


નિવારક પગલાં

  • સ્થાનિક આબોહવામાં સરસ રીતે ખીલી શકે તેવા છોડની પ્રજાતિ પસંદ કરો.
  • ખાસ કરીને ગ્રીનહાઉસના કિસ્સામાં પરાગનયન થઇ શકે તેવા પરિબળો ઉપલબ્ધ હોય તેની ખાતરી કરો.
  • જંતુઓ, પવન અથવા હાથથી હલાવીને પરાગનયન થાય તે જુઓ.
  • પરાગનયન માટે ફૂલોને તપાસો: પરાગ વાહકો આવી ચૂક્યા હોય તેવા ફૂલોનો રંગ ચળકતા પીળા માંથી કથ્થઈ બને છે.
  • સંતુલિત ખાતરો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેની ખાતરી કરો.
  • સૂકી પરિસ્થિતિમાં સારી રીતે પાણી પૂરું પાડો.
  • નિવારક ફૂગનાશક અને જંતુઓનું અસરકારક રીતે નિયંત્રણ કરી ટમેટાનો છોડ તંદુરસ્ત રહે તેની કાળજી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો