સોયાબીન

ખાતરથી બળેલ પાક

Fertilizer Burn

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની કિનારીઓનું છીકણી થવું અથવા પાંદડાનું જીર્ણ થઇ જવું.
  • નમી જવું, પીળા પડવું અને વિકાસ રૂંધાવો.

માં પણ મળી શકે છે

3 પાક

સોયાબીન

લક્ષણો

વધારે પ્રમાણમાં ખાતર નાખવાથી થયેલ નુકસાન સામાન્ય રીતે પાંદડાની ધારના છીકણી થવાથી અથવા પાંદડાના જીર્ણ થવાથી ઓળખાઈ શકે છે. ખાતરોમાં રહેલ દ્રાવ્ય મીઠું મૂળની પેશીઓમાંથી ભેજ ખેંચી શકે છે અને છોડના નમી જવાનું, પીળા પડવાનું તથા છોડનો વિકાસ રૂંધાવાનું કારણ બને છે. બળેલ પાંદડા અથવા જીર્ણ પાંદડાઓ ખાતરના પાંદડા સાથેના સીધા સંપર્કનું પરિણામ પણ હોઈ શકે છે - જેમ કે છુટ્ટું નાખેલ દાણાદાર ખાતર અથવા સ્પ્રે કરેલ પ્રવાહી ખાતર. જમીનનો પ્રકાર, સિંચાઇ પદ્ધતિ, મીઠાનું સ્તર અને છોડની સંવેદનશીલતા જેવા પરિબળો નુકસાનની માત્રાને પ્રભાવિત કરી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જ્યારે જંતુઓ અથવા રોગો વનસ્પતિના છોડને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે, ત્યારે ઘણી વખત નુકસાન પામેલા ભાગોને કાપી નાખવું અથવા ફરીથી વાવણી કરવી સારી રહે છે અને આગલી વખતે સમસ્યાને કેવી રીતે અટકાવવી તે શીખવું શ્રેષ્ઠ છે.

રાસાયણિક નિયંત્રણ

ખાતરના લીધે બળેલ પાંદડા માટે કોઈ રસાયણિક નિયંત્રણ વિકલ્પો ઉપલબ્ધ નથી.

તે શાના કારણે થયું?

વધુ પડતા ખાતરથી વનસ્પતિના છોડને થતું નુકસાન ગરમ સૂકા હવામાનમાં વધુ ગંભીર બને છે. ખાતરમાં રહેલા ક્ષાર દુષ્કાળની પરિસ્થિતિ જમીનમાં વધારે શોષાય છે. આ સીધું મૂળની ઇજા તરફ દોરી શકે છે, જેની અસર છોડના હવાઇ ભાગ જેમ કે પાંદડા પર દેખાય છે. પણ, દ્રાવ્ય ક્ષાર છોડ દ્વારા પાણીની ગતિવિધિને અનુસરે છે અને પાંદડાઓમાં કેન્દ્રિત થાય છે જ્યાં ગરમ, શુષ્ક દિવસોમાં બાષ્પીભવન દ્વારા ભેજ ઝડપથી ગુમાવવામાં આવે છે. ઠંડા, વાદળછાયા હવામાનમાં, જ્યારે જમીનમાં બરાબર માત્રામાં ભેજ હોય ​​ત્યારે, પાંદડાઓમાંથી ભેજનું બાષ્પીભવન ધીમું હોય છે, જેથી વસંત મહિનામાં જમીનમાં મીઠાના ઊંચા સ્તરને વનસ્પતિ સહન કરે છે, પરંતુ ઉનાળામાં આમ થતું નથી. તેથી, જ્યારે હવામાન અત્યંત સુકું હોય ત્યારે છોડ પર દાણાદાર ખાતર ન નાખવાની ભલામણ કરવામાં આવે છે, અને જો તે નાખવામાં આવે તો તેના પછી પાણી છાંટવાનો આગ્રહ રાખવો જરૂરી છે.


નિવારક પગલાં

  • ધીમી ગતિએ કામ કરતા કાર્બનિક ખાતરો પસંદ કરીને ખાતર દ્વાર પાક બળવાની સમસ્યાઓ અટકાવી શકાય છે.
  • દર વર્ષે જમીનમાં થોડા સેન્ટીમીટર ખાતરનો સમાવેશ પણ મદદ કરે છે.
  • છંટકાવ પછી છોડ પરથી દાણાદાર ખાતર દૂર કરો.
  • લેબલમાં જણાવ્યા અનુસાર દ્રાવ્ય પર્ણસમૂહ ખાતરોનો ઉપયોગ કરો અને જો દાણાદાર ખાતરોનો ઉપયોગ કરો, તો તરત જ તેના પછી પાણી છાંટો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો