ખાટાં ફળો

પાંદડા પર લીલ જેવા ડાઘ

Cephaleuros virescens

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર રૂંવાટીવાળા, લીલાથી કેસરી રંગનાં ડાઘ.
  • કુમળી ડાળીઓની છાલ પર તિરાડો.
  • પાનખર જેવી સ્થિતિ.
  • ફળની વિકૃતિ.
  • નીચે ઝૂલતી ડાળીઓમાં વધતો ચેપ.

માં પણ મળી શકે છે

4 પાક
ખાટાં ફળો
કોફી
જામફળ
કેરી

ખાટાં ફળો

લક્ષણો

C. virescens પરોપજીવી લીલ મુખ્યત્વે કેરીના પાંદડા અને બીજા યજમાનને અસર કરે છે, આ ઉપરાંત તેઓ છોડની શાખાઓ અને ડાળખીઓને પણ અસર કરે છે. અસરગ્રસ્ત પાંદડા પર ગોળ, સહેજ ઉપસેલ, લીલાથી નારંગી રંગનાં ૨-૪ મીમીના વ્યાસના ડાઘ જોવા મળે છે. પાંદડા પર રુવાંટીવાળો ભાગ (લીલના બીજકણ) અને અસ્પષ્ટ કિનારીઓ તેની લાક્ષણિકતા છે, જે ડાઘ જેવો ભાગ બનાવે છે. કૂમળી ડાંખળી રોગકારક જીવો સામે વધુ સંવેદનશીલ હોય છે, તેની છાલ પર C. virescens તિરાડ પાડે છે, અને તેને મૃત્યુ તરફ દોરી જાય છે. ઘણાં ઝાડમાં, નીચે ઝૂલતી ડાળીઓ પર વધુ ખરાબ લક્ષણો જોવા મળે છે. પાંદડા પર લીલા ડાઘનો રોગ ઊંચા તાપમાન અને વરસાદવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે, જ્યાં છોડના વિકાસ પણ અવરોધાયેલો હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જયારે રોગનું પ્રમાણ ઓછું હોય, ત્યારે ડાઘવાળા પાંદડા અને ડાળીઓ વીણીને તેનો નાશ કરો. વધારામાં, જમીન પર પડેલા અસરગ્રસ્ત પાંદડાને પણ વીણીને તેનો નાશ કરો. જયારે આ રોગ ગંભીર માત્રામાં હોય તો, Bordeaux મિશ્રણનો છંટકાવ કરો અથવા અન્ય કોપર-આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરો. ઉનાળાની શરૂઆતથી લઈને પાનખરના અંત સુધી દર બે અઠવાડિયે આ સ્પ્રે છાંટો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જરૂર પડે કોપર ધરાવતાં ફૂગનાશકો છાંટીને રસાયણિક નિયંત્રણ લાવી શકાય છે.

તે શાના કારણે થયું?

પાંદડા પર લીલના ડાઘ મુખ્યત્વે વધુ તાપમાન અને વરસાદ ધરાવતા પ્રદેશોમાં અને જ્યાં યજમાન છોડનો વિકાસ યોગ્ય રીતે ન થતો હોય ત્યાં જોવા મળે છે. પોષકતત્વોનું નીચું પ્રમાણ, પાણી નિકાલની અવ્યવસ્થા અને ખુબ મોટો કે નાનો શેડ આ રોગને અનુકુળ પરિસ્થિતિઓ રચે છે. બીજકણોને અંકુર ફૂટવા માટે પાણીની જરૂર હોય છે. તે વરસાદ અને પવન દ્વારા બીજા ઝાડ પર ફેલાય છે. C. virescens તેના યજમાન છોડનું પાણી અને ખનીજતત્વો ચૂસી લે છે, તેથી તેને "પાણી પરોપજીવી" તરીકે પણ ઓળખવામાં આવે છે. માત્ર ઘા દ્વારા પાંદડામાં પ્રવેશ પામતા બીજકણો પાંદડાની સપાટી પર ફોલ્લી પાડે છે. આ લીલ પાંદડા ખરી ન પડે ત્યાં સુધી તેના પર ફેલાઈ જાય છે. હજી સુધી કોઈ સ્વસ્થ પાંદડા પર તેમના દ્વારા કાણું પાડવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા નથી.


નિવારક પગલાં

  • પાકને યોગ્ય હરોળમાં વાવો, જેથી હવાની અવરજવર સરળતાથી થઈ શકે.
  • પાકની વૃદ્ધિ માટે યોગ્ય પરિસ્થિતિઓ ઉત્પન્ન કરો, જેથી પાક માટે તણાવની સ્થિતિ ઉત્પન્ન ન થાય.
  • પાણી નિકાલની વ્યવસ્થા કરો, જેથી પાણી ભરાઈ ન રહે.
  • દિવસે વહેલાં સિંચાઈ કરો, જેથી સાંજ સુધી પાંદડા સુકાઈ જાય.
  • જયારે પણ શક્ય હોય, ત્યારે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરવાની ટાળો.
  • જયારે છોડનો વિકાસ નબળો હોય, ત્યારે ખનીજ ખાતર નાખો.
  • પોટેશિયમ ફોસ્ફેટ ધરાવતાં સ્પ્રેનો છંટકાવ કરો.
  • ધ્યાન રાખો કે છોડની ઘનતા પ્રમાણસર રહે, જેથી પાંદડા અને ફળ વગેરે કોરા થઈ જાય.
  • ઝાડની આસપાસથી નીંદણ દૂર કરો, જેથી પોષકતત્વો અને ભેજ મેળવવામાં પાક અને નીંદણ વચ્ચે હરીફાઈ ન થાય.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો