Bradysia matogrossensis
જંતુ
તમાકુની વાડીમાં ફૂગનિર્માણ કરતી મસી છે કે કેમ તે તપાસવા માટે: તમારા હાથને હળવેથી રોપાઓ ઉપર વીંઝતાં, નાની કાળા રંગની મસીઓ ઊડતી દેખાશે. લાર્વા મૂળને ખાઈ જતા હોવાથી રોપાઓને નુકસાન થાય છે. તેઓ રોપાઓના મૂળને ખાય છે, જેનાથી છોડનો નબળો વિકાસ થાય છે, સુકાઈ જાય છે, પીળા પડે છે, પાંદડા ખરી પડે છે અને અંતે છોડ નાશ પામે છે.
તમારા રોપાઓની આસપાસની જમીનને બેસિલસ થુરિંગિએન્સિસ ઇઝરાયલેન્સિસ વડે પલાળો. જે લાર્વાના નિયંત્રણમાં મદદ કરે છે.
પુખ્ત જંતુઓ દેખાવા તેનો અર્થ એ નથી કે તમારે તાત્કાલિક રાસાયણિક રીતે તેનું નિયંત્રણ કરવું જોઈએ. જો તે ઓછી સંખ્યામાં હોય તો તેનાથી ખાસ સમસ્યા નિર્માણ થતી નથી. જો રોપાંઓનો વધુ પડતો નાશ થતો જણાય તો જ રસાયણોનો ઉપયોગ કરો. છંટકાવ કરવાથી પુખ્ત મસીઓને નિયંત્રિત કરી શકાય છે. યોગ્ય જંતુનાશકોથી માટીને ભીંજવાથી લાર્વાને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. જંતુનાશકો અથવા કોઈપણ પ્રકારના રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે, રક્ષણાત્મક કપડાં પહેરવા અને લેબલ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક દેશ પ્રમાણે નિયમો જુદાજુદા હોય શકે છે, તમે તમારા વિસ્તાર પ્રમાણેના ચોક્કસ નિયમોનું પાલન કરી રહ્યા છો તેની ખાતરી કરો. તેનાથી ચોક્કસપણે સલામતી મળે છે અને સફળ સારવારની શક્યતા વધે છે.
ખાસકરીને ખરેલા પાંદડાં અને જૈવિક કચરા પાસેના બંધિયાર પાણીમાં તેનો વિકાસ થાય છે. તેથી જે નર્સરીઓમાં પાણી પર તરતી ટ્રેમાં ઉગાડેલ રોપાઓમાં આ ફૂગ જોવા મળવી સામાન્ય બાબત છે. સામાન્યરીતે જયારે છોડ કુમળા હોય કે અંકુરણ બાદ તુરંતની પરિસ્થિતિ હોય ત્યારે તેવી તરતી ટ્રેમાં પુખ્ત મસીઓ ઇંડા મૂકે છે. લાર્વા ચળકતા કાળા રંગના માથાવાળા, નાના કદના, પારદર્શક અથવા સફેદ રંગના હોય છે. તેઓને નરી આંખે જોઈ શકતા નથી પરંતુ મૂળની આસપાસની જમીનમાં નાના-નાના ટપકાંઓને ફરતા જોઈ શકો છો.