ટામેટા

પાંદડાં જેવા પગવાળા કીડાં

Coreidae

જંતુ

ટૂંકમાં

  • પાકનો વિકાસ અટકેલો દેખાય.
  • જ્યાં જંતુઓ ચાંચ મારે ત્યાં ફાળો વિકૃત દેખાય છે.
  • ફળ પર ખાડાવાળા વિસ્તારો જોવા મળે.
  • પાંદડા અને ડાળીઓને નુકસાન.
  • પાંદડા પીળા અથવા કથ્થઈ રંગના બને છે.

માં પણ મળી શકે છે

15 પાક

ટામેટા

લક્ષણો

પાંદડાં જેવા પગ ધરાવતા જંતુઓની તેની પ્રજાતિ, પાકને વિકાસના તબક્કા અને અસરગ્રસ્ત પાકના પ્રકારના આધારે પાકમાં વિવિધ લક્ષણોનું કારણ બની શકે છે. પાકમાં જોવા મળતા વિવિધ નુકસાનના કેટલાક સામાન્ય લક્ષણો અહીં દર્શાવેલ છે. ખાસ કરીને જ્યાં કુમળા વિકાસશીલ છોડ હોય ત્યાં પાકના વિકાસમાં અવરોધનું કારણ બની શકે છે. આનાથી ઓછી ઉપજ થાય અથવા લણણીનો સમય લંબાઈ શકે છે. આ જંતુના કારણે ફળના આકાર અને રંગનું વિકૃતિકરણ થઇ શકે છે. અસરગ્રસ્ત ફળના રંગમાં વિકૃતિ, અયોગ્ય આકાર અથવા સપાટી પર ખાડા દેખાઈ શકે છે. આ દેખીતા નુકસાનને કારણે ફળ બજારમાં વેચાણક્ષમ રહેતા નથી. જંતુઓ છોડના પાંદડા અને ડાળીને પણ નુકસાન પહોંચાડે છે. આનાથી પાંદડા પીળા અથવા કથ્થઈ રંગના બને, કરમાય અને ક્યારેક છોડનો નાશ પણ થઈ શકે છે. આ ઉપરાંત, આ જંતુઓની કેટલીક પ્રજાતિઓ છોડમાં રોગ પણ ફેલાવી શકે છે, જે પાકને વધુ નુકસાન પહોંચાડે છે અને ઉપજ ઘટાડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જંતુનાશક સાબુ અથવા લીમડાનું તેલ અથવા પાયરિથ્રિન જેવા વનસ્પતિજન્ય પદાર્થ, ફક્ત બાળ જંતુઓનું થોડું નિયંત્રણ કરી શકે છે. આ જંતુઓના ઈંડાને દૂર કરવા એ આ જંતુને નિયંત્રિત કરવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે.

રાસાયણિક નિયંત્રણ

રાસાયણિક રીતે નિયંત્રણ કરવા જંતુઓને મારવા અથવા ભગાડવા માટે જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવે છે. પાયરેથ્રોઇડ્સ, નિયોનિકોટિનોઇડ્સ અને સ્પિનોસડ જેવા ઘણા જંતુનાશકો આ જંતુઓ સામે અસરકારક છે. આ જંતુનાશકોનો છંટકાવ, પાવડર અથવા બાઈટ્સ તરીકે લાગુ કરી શકાય છે, પરંતુ જ્યારે જંતુનાશકોનો ઉપયોગ કરો ત્યારે લેબલ પરની સૂચનાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. રક્ષણાત્મક વસ્ત્રો અને ગિયર પહેરવાનું ભૂલશો નહીં, અને પવન અથવા વરસાદી હવામાન હોય ત્યારે છંટકાવ ન કરો. ઉપરાંત, સારવારના સમય અને કેટલી વાર જંતુનાશકનો ઉપયોગ કરી શકાય તેને સંબંધિત લેબલ પરના નિયંત્રણોનું પાલન કરવાનું ભૂલશો નહીં. આ જંતુઓની વસ્તી ઘટાડવા માટે રાસાયણિક નિયંત્રણની પધ્ધતિ અસરકારક હોઈ શકે છે, પરંતુ મહત્વપૂર્ણરીતે નોંધ લો કે જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ અથવા દુરૂપયોગ નકારાત્મક અસર કરી શકે છે, જેમાં નધારેલ જંતુઓ, વન્યપ્રાણીસૃષ્ટિ અને માણસોનો સમાવેશ થાય છે. તેથી, જંતુનાશકોનો સમજણપૂર્વકનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે અને ખેતીની પધ્ધતિ તથા જૈવિક નિયંત્રણો યુક્ત જંતુ નિયંત્રણના અભિગમનો સમાવેશ થાય છે.

તે શાના કારણે થયું?

આ જંતુઓના પાછળનાં પગ ચપટા, પાંદડા જેવા હોય છે. તે સામાન્ય રીતે લગભગ 20 મીમી લંબાઈ ધરાવતા મધ્યમ કદના જંતુઓ છે. સામાન્ય રીતે તે કથ્થઈ અથવા લીલા રંગના હોય છે, અને તેઓ છોડના ફળો, શાકભાજી અને બીયા જેવા સત્વનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જ્યારે માદા જંતુઓ છોડ પર ઇંડા મૂકે છે ત્યારે આ જંતુનું જીવન ચક્ર શરૂ થાય છે. ઇંડા લગભગ 1.4 મીમી લાંબા, અંડાકાર, કાંસા કે ઘેરા બદામી રંગના હોય છે અને તે એક પંક્તિઓમાં મુકવામાં આવે છે. ઇંડામાંથી બાળ કીડા બહાર આવે છે, જે પુખ્ત જંતુઓ જેવા જ લાગે છે. પુખ્ત જંતુ બનતા પહેલા આ બાળ જંતુઓ વિવિધ પરિવર્તનમાંથી પસાર થાય છે. દરેક પરિવર્તન દરમિયાન, બાળ જંતુઓ તેની જૂની ત્વચાને દૂર કરી નવી ધારણ કરે છે. જેમ જેમ તેઓ વિકાસ પામે, તેમ તેમ તેઓ પુખ્ત વયના જંતુ જેવો દેખાવ દર્શાવે છે, અને પાંખોનો વિકાસ થાય છે. પુખ્ત જંતુમાં પરિવર્તિત થયા બાદ તે પ્રજનન કરે છે અને ઇંડા મૂકે છે, અને આમ ફરીથી જીવન ચક્રની શરૂઆત થાય છે. આ જંતુઓ દર વર્ષે આબોહવા અને ખોરાકની ઉપલબ્ધતાના આધારે વિવિધ પેઢીઓમાંથી પસાર થઈ શકે છે. જ્યારે ખૂબ જ વરસાદ પડે ત્યારે તેના દ્વારા સમસ્યાઓ નિર્માણ થવાની શક્યતા વધુ હોય છે. નાશ પામેલ છોડ અથવા લીલા ઘાસ હેઠળ શિયાળો પસાર કર્યા બાદ વસંત ઋતુમાં પુખ્ત વયના જંતુઓ બહાર આવે છે. જો શિયાળો ગરમ હોય, તો પુખ્ત જંતુઓ વધુ પ્રમાણમાં ટકી રહે છે અને વધુ સમસ્યાઓ નિર્માણ કરી શકે છે. કેટલાક પ્રકારના જંતુઓ ફક્ત નીંદણ પર જ પ્રજનન કરે છે, જ્યારે અન્ય શાકભાજી પર પ્રજનન કરે છે. ફળને થતું નુકસાન એ આ જંતુઓ અંગે મુખ્ય ચિંતાનું કારણ છે, અને ફળો આવવાના શરૂ થાય તે સમય દરમિયાન તેઓ સમસ્યાઓનું કારણ બને છે.


નિવારક પગલાં

  • પાંદડા જેવા પગ ધરાવતાં જંતુઓની પ્રવૃત્તિના ચિહ્નો જોવા માટે તમારા છોડને નિયમિતપણે તપાસો, જેમ કે ઇંડાનો જથ્થો, વિકૃત રંગના કે ખાડાવાળા ફળ અને પાંદડા તથા ડાળીને નુકસાન.
  • તમે તમારા છોડથી જંતુઓને દૂર રાખવા માટે, ચાસને ઢાંકી શકો અથવા જાળી જેવા અવરોધોનો ઉપયોગ કરી શકો છો.
  • આ જંતુઓ નીંદણમાં છુપાઈ અને ટકી શકતા હોવાથી તમારા ખેતરમાંથી નીંદણ દૂર કરો.
  • નીચે પડેલા ફળ અથવા અન્ય કચરાને દૂર કરીને તમારા ખેતરોને સાફ રાખો, જે જંતુઓને આકર્ષિત કરી શકે છે.
  • માળા બનાવી અથવા પાણી પૂરું પાડી, કુદરતી શિકારી (પક્ષીઓ, કરોળિયા અને શિકારી જંતુઓ) ને આકર્ષિત કરો અથવા ખેતરમાં દાખલ કરો જે જંતુઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  • આગામી ઋતુ સુધી જંતુ ટકી રહેવાની શક્યતાને ઘટાડવા માટે ઋતુના અંત ભાગમાં ખેતરને બરાબર સ્વચ્છ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો