Dichocrocis punctiferalis
જંતુ
લાર્વા અંકુર અને શીંગોમાં કાણાં પાડી તેને નુકસાન પહોંચાડે છે, ઘણીવાર શીંગો જાળામાં વણાયેલી પણ દેખાય છે. તેઓ અંદર ભૂસાથી ભરેલ રેશમી બોગદું બનાવે છે. કેટલીકવાર, તે જ્યાં પાંદડા થડ સાથે જોડાય તે જગ્યાએ અને ક્યારેક જ જાડા પાંદડાના મધ્ય ભાગમાં જોવા મળે છે. નુકસાનના લક્ષણોમાં ક્ષતિગ્રસ્ત અંકુર અને જાળામાં વણાયેલ શીંગો પર ભૂસું જોવા મળે છે.
કાણાં પડતાં જંતુઓને મુખ્ય પાકથી દૂર કરવા માટે છટકાં રૂપ પાકનું વાવેતર કરો. ખેતરમાં કુદરતી દુશ્મનો દાખલ કરો.
જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમનો ધ્યાનમાં રાખો. ફળોમાં કાણાં પડતાં હોવાથી લાર્વાનું રાસાયણિક પદ્ધતિથી નિયંત્રણ કરવું મુશ્કેલ હોય છે. ફૂલના આવવાના સમયથી શરૂ કરી ત્યારબાદ 20 દિવસ પછી છંટકાવ કરવો જોઈએ.
આ નુકસાન લાર્વા દ્વારા નિર્માણ થાય છે, જે ડાળી, અંકુર, કળીઓ, ફળો અને બીજમાં કાણાં પાડે છે. આ નુકસાનથી ચેપ લાગી શકે છે. ફળો અથવા બીજ પર અથવા તેની નજીક માદા જંતુઓ નાના, અંડાકાર, પીળાશ પડતાં ઇંડા મૂકે છે. 6-7 દિવસ પછી તે ઈંડા ઘેરા કથ્થાઈ રંગના બને છે. પુખ્ત જંતુઓ નાના કાળા ટપકાં સાથે પીળાશ પડતી પાંખો વાળા, મધ્યમ કદના હોય છે. લાર્વા બીજ, શીંગો અને કુમળી કુંપણોને ખાય છે. પુખ્ત લાર્વા 24 મીમી લાંબા, ગુલાબી ચાંચ સાથે આછા લીલા રંગના, બારીક વાળ, ઘેરા રંગનું માથું અને કવચ વાળા હોય છે. તેઓ થડ અથવા શીંગોમાં વિકાસ પામે છે.