Euchrysops cnejus
જંતુ
કળીઓ, ફૂલો અને શીંગો પર જ્યાં પ્રવેશ અથવા ખોરાક માટેના કાણા હોય, ત્યાં લક્ષણો સ્પષ્ટ દેખાય છે. શીંગને થતુ નુકશાન તેના પર થતા ઘણા બધા કાણાંથી જોઈ શકાય છે. છિદ્રોની ધાર પાસે સ્ત્રાવ અને છિદ્રોની ધાર કાળી પડે છે.
કઠોળમાં પડતા વાદળી ફુદા નો વધારો નિયંત્રિત કરવા માટે તમામ લેપિડોપ્ટેરન જીવતો પર હુમલો કરવા માટે કુદરતી દુશ્મનો નો ઉપયોગ કરો. ટ્રીકોગ્રામા એસપી. ના પરોપજીવી ઈંડા @ 0.6 લાખ / એકર / અઠવાડિયે ચાર વખત છોડો. જયારે પરોપજીવી જોવા મળે ત્યારે કોઈપણ પ્રકારની જંતુનાશક દવા ન વાપરો અને તેલોનોમસ એસપીપી (પરોપજીવી ઈંડા) અને એપનાટેલ્સ એસપીપી. (એક લાર્વા પરોપજીવી) ને બચાવો. બીજી ઈયળને ધ્યાનમાં રાખી જંતુનાશક વાપરીને પણ લાર્વાને નિયંત્રિત કરી શકાય છે. બેસીલસ થુરીનજેનેસીસ (ઓછામાં ઓછા 100 L પાણી / હેક્ટર) સાથે તમારા છોડની સંપૂર્ણ કાળજી લો. લીમડાનું તેલ પણ જંતુઓને નિયંત્રણમાં રાખે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કઠોળમાં પડતા વાદળી ફુદા માટે કોઈ જંતુનાશકો નોંધાયેલ નથી. બીજા અન્ય પ્રજાતિઓ પર લાગુ પડતી લેપિડોપ્ટેરા ના ઉત્પાદનો આ જીવાતને પણ નિયંત્રિત કરશે. યુકરીસોપ્સ નેજૂસને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે પ્રોફેનોફોર્સ સૂચવવામાં આવ્યું હતું.
લક્ષણો મુખ્યત્વે યુકરીસોપ્સ નેજૂસના લાર્વા ના કારણે હોય છે. પખ્ત નર આછા જાંબલી રંગનો જ્યારે માદા આછા ચાકદાર ભૂરા રંગની પાંખ સાથે ઘાટો કાળો રંગ ધરાવે છે. માદા તેના જીવનકાળ દરમિયાન 60 થી 200 ઈંડા મૂકે છે અને જે તે કુમળા અંકુર, કળીઓ, અથવા પાંદડા પર એક સાથે મૂકે છે. લાર્વા સામાન્ય રીતે સ્થૂળ, આછા લીલા અથવા પીળા, આશરે 13 મીમીના, શરીર પર લાલ રેખા તથા ટૂંકા કાળા વાળ ધરાવે છે. ઘણી વખત તેની સાથે કાળી કીડીઓ જોવા મળે છે. ઇયળો દૈનિક (દિવસ દરમિયાન સક્રિય) હોવા છતાં, તેમના રંગ અને ખોરાકના કાણાંને કારણે, તે શોધવા મુશ્કેલ હોય છે. લાર્વા ફૂલો અને કુમળી શીંગો, ખાસ કરીને કઠોળના પાક પર નભે છે અને તેમની અંદર કાણાં પાડી દે છે. પાંદડા પર વધતા જોવા મળે છે.