કઠોળ

કઠોળના ફુદા

Ophiomyia phaseoli

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ટપકાવાળા પાંદડા.
  • પાનની દાંડી પર ચાંદી જેવા, વળેલા પટ્ટા,જે પાછળથી ઘેરા થઈ જાય છે.
  • પાંદડા ને સૂકવે છે અને પાંદડા ખરી જાય છે.
  • નાના, ઘેરા ફુદા.

માં પણ મળી શકે છે


કઠોળ

લક્ષણો

તાજા કુમળા પાંદડાંમાં, ખાસ કરીને પાંદડાની તળિયે, મોટી સંખ્યામાં કાણા પડી ગયેલા અને ઉપર ની બાજુ પર આછા પીળા રંગના ટપકા જોવા મળે છે. ઈયળ પાંદડાની દાંડી અને સાંઠામાં કાણા કરે છે, જે પાછળથી ચાંદી જેવા, વળેલા પટ્ટા દેખાય છે. પાંદડાની ઉપરના ભાગે માત્ર થોડાક જ કાણા દેખાય છે, જે પાછળથી ઘેરા બદામી થઈ જાય છે અને સ્પષ્ટપણે જોઇ શકાય છે અને પાંદડા નમી જાય છે. આ પાંદડા સુકાઈ જાય છે અને ખરી પણ જાય છે. સંક્રમિત પરિપક્વ છોડમાં દાંડીઓ ફૂલી જાય છે અને અમુક સમયે પાંદડા કરમાઈ શકે છે.દાંડી પર ખોરાક માટેના કાણા સ્પષ્ટપણે જોઇ શકાય છે. તીવ્ર ઈયળોનો ઉપદ્રવ મુળ-અંકુરણ સંગમ ની આસપાસની આંતરિક પેશીઓ નો વિનાશ થાય છે ,જેનાથી પાંદડા પીળા થાય છે , છોડનો વિકાસ અટકે છે અને છોડનું મૃત્યુ પણ થાય છે.મોટા ભાગના કિસ્સાઓમાં છોડ ઉદભવના 10-15 દિવસમાં જ મૃત્યુ પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કઠોળ ના ફુદા ના ઘણા બધા કુદરતી દુશ્મનો છે. ઓપિયસ જાતિના કેટલાક બ્રેકોનીડ ભમરી લાર્વા પરોપજીવીઓ એશિયા અને આફ્રિકા બંને માં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. બે પ્રજાતિઓ, ઓપિયસ ફાસિયોલી અને ઓપિયસ ઈમ્પોર્ટટ્સ, પૂર્વ આફ્રિકા થી 1969 માં હવાઈમાં રજુ કરાવામાં આવી હતી, પરંતુ હજી પણ ક્યારેક કઠોળ ના ફુદાનો ઉપદ્રવ જોવા મળે છે. કેટલાક પ્રદેશોમાં જંતુનો મૃત્યુદર 90% સુધી પહોંચે છે.પૂર્વ આફ્રિકામાં ફૂદાં ના ફૂગ રોગાણુ પર આધારિત ઉત્પાદનો નો પણ શક્ય જંતુના સંચાલન સાધન તરીકે પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જ્યાં ઉપદ્રવ વધારે છે ત્યાં કઠોળ ના ફુદા ને નિયંત્રણ કરવા માટે જંતુનાશકો નો ઉપયોગ કરી શકાય. જોકે, લાર્વા જે નુકસાન કરે છે તે છોડની અંદર સુરક્ષિત હોય છે.પાકની વાવણી સાથે અથવા અંકુરણ પછી તરત જ જમીન માં ઇમિડાક્લોપ્રીડ ધરાવતા રાસાયણિક ઉત્પાદનો છંટકાવ અસરકારક છે.ઉદભવ બાદ લગભગ 3-4 દિવસ પછી રોપાને સારવાર આપવામાં આવે છે, અને જો કઠોળ ના ફુદા નો ઉપદ્રવ ગંભીર હોય તો, 7 દિવસે પુનરાવર્તન કરવામાં આવે છે, અને કદાચ 14 દિવસે પણ. અન્ય સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સક્રિય ઘટકો ડાયમેથોએટ છે, જે પ્રણાલીગત છે. બધા સૂચિબદ્ધ રસાયણો જોખમી તરીકે ગણવામાં આવે છે અને તેનો ઉપયોગ કરતી વખતે કાળજી રાખવી જોઈએ.

તે શાના કારણે થયું?

લક્ષણો કઠોળના ફુદા ના લાર્વા અને પુખ્ત દ્વારા થાય છે,ઓફિઓમિયા ફેસોલી, જે વિશ્વમાં સૌથી વિનાશક જીવાતોમાનું એક છે. તે એશિયા, આફ્રિકા, હવાઇ અને ઓશનિયા ના ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વ્યાપક છે. કેટલાક કિસ્સાઓમાં, તે પાકમાં 30-50% નુકસાન કરે છે. નુકસાન ની તીવ્રતા મોસમ પ્રમાણે અલગ અલગ હોય છે,પરિણામે ભીની ઋતુ કરતા સુકી ઋતુ માં મૃત્યુનો દર ઊંચો હોય છે (13% સામે 80% અનુક્રમે). પુખ્ત અને લાર્વા બંને , ખાસ કરીને રોપાઓને નુકસાન પહોંચાડે છે. પુખ્ત ફુદા નાના કુમળા પાંદડામાં કાણા પાડે છે અને પાંદડાની દાંડીની નજીક તેમના સફેદ, અંડાકાર ઇંડા મૂકે છે. વિકાસશીલ લાર્વા ડાળી મારફતે ખાણ કરી નીચે મુળ બાજુ જાય છે અને જમીનની સપાટીની નજીક ડાળી ના પાયામાં પુખ્ત બની પાછા ફરે છે. તાપમાનના આધારે પુખ્ત થતા લગભગ 10-12 દિવસ લાગે છે.


નિવારક પગલાં

  • ઉપલબ્ધ હોય તો,પ્રતિરોધક જાતો નું વાવેતર કરો.
  • ભીની ઋતુ દરમિયાન વાવેતર કરવું.
  • વાવેતર કરતા પહેલાં નીંદણ અને જાતે ઉગી નીકળેલી વનસ્પતિઓ,ખાસ કરીને ફળી પ્રકારની ને દૂર કરો.
  • સમાન પ્રકારના જૂના પાક સાથે અથવા અન્ય પ્રકારના સમાન જાતના પાક સાથે કઠોળનું વાવેતર કરવું નહીં.
  • છોડ વચ્ચે શક્ય તેટલુ વધારે અંતર રાખો.
  • પ્રારંભિક વિકાસ દરમિયાન (અંકુરણ પછી 2-3 અઠવાડિયા) મૂળને ભીના ઘાસ ,જેમકે, કેળના પાંદડા, ચોખા ની સડી અથવા ઘાસ વડે આવરી લો.
  • નુકસાન ન થાય તે માટે નિયમિતરૂપે ધ્યાન રાખો અને અંકુરણ પછી પ્રથમ ચાર થી પાંચ અઠવાડિયા દરમિયાન જંતુ નિયંત્રણ કરો.
  • લણણી પછી પાકનો નો કચરો ભેગો કરી બાળી દો અથવા જમીનમાં દાટી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો