ભીંડો

ડાઘવાળી ઈયળ

Earias vittella

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ફૂલો આવ્યા પહેલાં કુંપણનું વળી જવું.
  • કપાસના કાલાનું ખરી જવું.
  • કાલામાં કાણા પાડવા અને સડો થવો.

માં પણ મળી શકે છે


ભીંડો

લક્ષણો

લાર્વા મુખ્યત્વે બોલ્સ પર આક્રમણ કરે છે, પરંતુ બોલ્સ હાજર ન હોય તો તે કુંપણ, ફૂલો અને કાલા દ્વારા પણ પોષણ મેળવી શકે છે. જો ફૂલ આવવાની સ્થિતિમાં ઉપદ્રવ થયો હોય તો કેટરપિલર કુંપણનાં આગળના ભાગથી અંદર પ્રવેશ કરી નીચે તરફ જાય છે. આના કારણે ફૂલો આવ્યા પહેલા જ કુંપણ સુકાઈને ખરી જાય છે. જો મુખ્ય કોષોને નુકસાન થાય તો આખો છોડ પડી જાય છે. જો પછીનાં તબક્કે આક્રમણ થાય તો, લાર્વા મૂળમાં રહેલ કાણામાંથી પ્રવેશ કરી ફૂલોની કળીઓ અને બોલ્સ દ્વારા પોષણ મેળવે છે. ક્ષતિગ્રસ્ત ફૂલની કળીઓ કેટલીકવાર અકાળે ફેલાય છે, જેના પરિણામે 'ફ્લેર્ડ સ્ક્વેર્સ’ થાય છે. તે છોડની પેશીઓને નુકસાન પહોંચાડે છે અને ફંગલ અથવા બેક્ટેરિયલ ચેપ તરફ દોરી જાય છે, જે લક્ષણોને વધુ ખરાબ કરે છે. જ્યારે નાના છોડ પર આક્રમણ થાય છે ત્યારે આ કીટ તેને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ જંતુઓ માટેના વૈકલ્પિક યજમાન છોડમાં, હિબીસ્કસ અને ઓકરા શામેલ છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ જંતુના સંચાલનમાં ઇંડા અથવા નાના લાર્વાની તપાસ કરવી જરૂરી છે. બ્રોકોનિડે, સ્કેલિઓનિડી અને ટ્રિકોગ્રામેટીડે પરિવારના કેટલાક પેરાસિટોઇડ જંતુઓનો ઉપયોગ જૈવિક નિયંત્રણ પદ્ધતિ તરીકે થઈ શકે છે. નીચેના ક્રમમાં શિકારી જંતુઓને પણ અજમાવી શકાય છે: કોલિઓપ્ટેરા, હાયમેનોપ્ટેરા, હેમિપેટેરા અને ન્યુરોપ્ટેરા. આ પ્રજાતિઓના ઉપયોગને (અથવા તેમને ખેતરમાં નાખવા)ને પ્રોત્સાહિત કરો, અને વ્યાપક પાયે જંતુનાશકોનો ઉપયોગ ટાળો. તમે વસ્તી નિયંત્રિત કરવા માટે બેસિલસ થ્યુરિંગિએન્સિસ ધરાવતા બાયોઇનસેક્ટિસાઇડ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. લીમડાના બીજ કર્નલ એક્સટ્રેક્ટ્સ (એનએસકેઇ) ૫% અથવા લીમડાનું તેલ (૧૫૦૦પીપીએમ) @ ૫ મીલી / લિના સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મોર આવવાના પ્રારંભિક સમય દરમિયાન જયારે ૧૦૦ છોડ દીઠ ૧૦ ઇંડા અથવા પાંચ નાની ઈયળો હાજર હોય ત્યારે સારવાર જરૂરી છે. જ્યારે લાર્વા જંતુનાશક ઉપચાર સામે સહનશીલ બની જાય છે ત્યારે ઇંડા અને યુવાન લાર્વા માટે તપાસ જરૂરી છે. ઈયળના ઇંડા જોવા મળે તે દરમિયાન સારવાર કરવાની ભલામણ કરવામાં આવે છે. ક્લોરેન્ટ્રેનિલિપોલ, એમ્મેક્ટિન બેન્ઝોનેટ, ફ્લુબેન્ડેઆમાઇડ, મેથોમિલ અથવા એસ્ફેનેવલરેટ ધરાવતા જંતુનાશકો વાપરી શકાય છે. ઓછુ આર્થિક મુલ્ય ધરાવતા પાકોમાં રાસાયણિક સારવાર પરવડતી નથી.

તે શાના કારણે થયું?

ડાઘવાળી ઈયળના લાર્વા જેના દ્વારા નુકસાન થાય છે જેને એરીઅસ વિટ્ટેલા કહે છે, જે ભારતના દક્ષિણી પ્રદેશોમાં એક સામાન્ય જંતુ છે. મોટે ભાગે તે ૨ સે.મી. લાંબી લીલા રંગ જેવી નિસ્તેજ હોય ​​છે અને તે ફૂલો અથવા પ્રકાશના સ્રોતની નજીક જોવા મળી શકે છે. આગળની પાંખો આછા પીળા રંગ જેવી હોય છે જેના ઉપર ઘાટા લીલા રંગની પટ્ટીઓ હોય છે, અને પાછળની પાંખો આછી ભૂરી-છીકણી રંગની હોય છે. ઈંડા વાદળી રંગના હોય છે અને મોટાભાગે યુવાન કુંપણ, પાંદડા અથવા કાલા પર જોવા મળે છે. યુવાન લાર્વા આછા છીકણી રંગના હોય છે, જેના પર ભૂરા કે લીલાં રંગની પટ્ટીઓ જોવા મળે છે, અને મધ્ય ડોર્સલ રેખા પીળાશ પડતા રંગની હોય છે. સંપૂર્ણપણે વિકસિત લાર્વા ૧.૮ સે.મી. જેટલા લાંબા હોઈ શકે છે. હાથનાં લેન્સ દ્વારા દેખી શકાતી નાની કરોડરજ્જુ, શરીરના મોટા ભાગની સપાટીને આવરી લે છે. જેમ જેમ તેઓ પરિપક્વતા સુધી પહોંચે છે તેમ, તેઓ પાંદડા અથવા છોડના ભાગોથી જોડાયેલા રેશમના કોકૂનમાં સપડાય છે. ઉષ્ણકટિબંધીય પરિસ્થિતિઓ હેઠળ, એક પેઢી ૨૦-૨૫ દિવસની અંદર પૂર્ણ થાય છે. ઓછા તાપમાનમાં આ પ્રક્રિયા બે મહિના જેટલી લાંબી થઈ શકે છે.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો, સહનશીલ જાતો વાપરો.
  • વધારે વસ્તીને ટાળવા માટે વહેલા વાવણી કરો.
  • છોડ વચ્ચે સરખું અંતર રાખો.
  • જીવનચક્ર તોડવા માટે ખેડૂતોને બિનઉપયોગી સીમાંત વિસ્તારો આપો.
  • હિબીસ્કસ અને ઓકરા (ભીંડા) જેવા પાક વાવો.એક જ પાકની વાવણી કરવાની જગ્યાએ ફાયદાકારક પાક સાથે ફેરબદલી કરતા રહો.
  • નિયમિતપણે કપાસના ખેતરની ચકાસણી કરતા રહો, જેથી ડાઘવાળી ઈયળના લાર્વા અને ઈંડા હોય તો જાણી શકાય.
  • પ્રમાણસર ખાતર આપો.
  • વહેલાં લણણી કરી શકાય તેવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપો.
  • લણણી પછી બચેલા પાકના કચરાનો નિકાલ કરો.
  • ઊંડે સુધી ખેતર ખેડો જેથી બચેલ જીવાતોના ઈંડા વગેરે શિકારી જીવાતોને મળી શકે અને તેમનો નાશ થાય.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો