ઓલિવ

જાંબલી જાડાં ભીંગડા

Lepidosaphes beckii

જંતુ

ટૂંકમાં

  • અંડાકાર, ચપટાં, જાંબલી પડતાં કથ્થઈ રંગના જંતુઓ, જે છોડની સપાટી પર નાના બમ્પ જેવા દેખાય છે.
  • જે જગ્યાએથી આ જંતુઓ ફળોને ફોલી ખાય ત્યાં લીલા રંગના ટપકાં જોવા મળવા.

માં પણ મળી શકે છે


ઓલિવ

લક્ષણો

જાંબલી ભીંગડાવાળા જંતુઓ ફળો, પાંદડાં, ડાળીઓ અને થડ સહિત છોડની દરેક સપાટી સાથે જોડાયેલ હોય છે. તેઓ છોડના સત્વને ચૂસે છે, જેથી ઘણી દેખીતી સમસ્યાઓ નિર્માણ થાય છે. જયારે આ જંતુ પાકા ફળોને ખાય ત્યારે તે લીલા રંગના થવા લાગે છે. પાંદડા પીળા પડે છે અને છોડ પરથી ખરી શકે છે. ગંભીર કિસ્સાઓમાં, ડાળીઓ છેડેથી સુકાય છે અને ધીરેધીરે મુખ્ય થડ તરફ ફેલાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જયારે ઇંડામાંથી જંતુ બહાર આવે અથવા તો જયારે ચેપ ધ્યાનમાં આવે કે તરત શિયાળાના અંતમાં નિષ્ક્રિય તેલ અને લાઇમ સલ્ફરનો ઝાડ પર છંટકાવ કરવો જોઈએ. નાના વૃક્ષો અથવા મોટા વૃક્ષોના પહોંચી શકાય તેવા નીચલા ભાગો સુધી, વાસણ ધોવાના કુચાનો ઉપયોગ કરીને ભીંગડાના સાફ કરી શકાય છે. સામાન્ય રીતે, કુદરતી દુશ્મનો આ જંતુઓની વસ્તીને નિયંત્રણમાં રાખે છે, તેથી આ જંતુઓ એ કાંઈ મોટી સમસ્યા નિર્માણ કરતાં નથી.

રાસાયણિક નિયંત્રણ

સામાન્ય રીતે આ જંતુઓથી નુકસાન ઓછું થાય છે, પરંતુ જો તેમની સંખ્યા વધુ હોય તો, તે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, અને રાસાયણિક રીતે નિયંત્રણની જરૂર પડે છે. આ જંતુઓને તેમના સખત ભીંગડાંના કારણે રક્ષણ મળતું હોવાથી એકવાર જોવા મળે પછી જંતુનાશકો વડે તેનો નાશ કરવો મુશ્કેલ છે. અસુરક્ષિત એવા બાલ જંતુઓ ખોરાક માટે સ્થાયી થાય તે પહેલા ફરતાં રહે છે તેથી જ્યારે તેનો નાના હોય ત્યારે જ ઋતુની શરૂઆતમાં તેનું નિયંત્રણ કરવું એ શ્રેષ્ઠ માર્ગ છે. સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ જેવા ખુબ જ ભારે અને વ્યાપક અસર કરતાં જંતુનાજોઈએ કારણકે તે લાભદાયી શિકારીનો પણ નાસિક કરી શકે છે. છોડ શોષી શકે તેવા જંતુનાશકોનો ઉપયોગ કરવાનું પસંદ કરો.

તે શાના કારણે થયું?

તમારા છોડ પર દેખાતા બમ્પ પુખ્ત વયના માદા જાંબલી સ્નાયુબદ્ધ ભીંગડા છે. તે હલનચલન કરતા નથી અને જાંબુડિયા-કથ્થાઈ રંગના રક્ષણાત્મક કવર નીચે છુપાવતા રહે છે. રક્ષણાત્મક કવચ નીચે માદા તેના ઇંડા મૂકે છે, શિયાળા દરમિયાન જ્યાં તેઓ સુરક્ષિત રહે છે અને મે અથવા જૂન મહિના સુધીમાં ઇંડામાંથી બહાર આવે છે. આ જંતુઓ વર્ષમાં એકવાર પ્રજનન કરે છે. યુવાન જંતુઓ ચાલીને અથવા પવન, ખેતીના વાહન, પ્રાણીઓ, પક્ષીઓ અને લોકોના કપડા દ્વારા નવા છોડમાં ફેલાય છે. તેઓ ખેતીની સામગ્રી દ્વારા પણ ફેલાય છે અને જંતુઓ વહન કરે છે.


નિવારક પગલાં

  • જંતુમુક્ત સામગ્રીનો ઉપયોગ કરો.
  • જંતુઓ સામે પ્રતિકાર કરી શકે તે માટે છોડને પૂરતું પાણી અને જરૂરી પોષકતત્વો આપી સ્વસ્થ રાખો.
  • વાડીનું આ ભીંગડાવાળા જંતુઓ માટે નિયમિત નિરીક્ષણ કરવું જરૂરી છે.
  • ખાસ કરીને, છાંયડા કે આવરણ વાળા ખેતરમાં, પાંદડાંની નીચેની બાજુએ અને કુમળી ડાળીઓ પર પુખ્ત જંતુઓ તપાસવાનું ચૂકશો નહીં.
  • શરૂઆતમાં જ તે મળી જવું ખુબ નિર્ણાયક હોય છે! પુખ્ત જંતુઓને તમે સરળતાથી નરી આંખે જોઈ શકો છો, પરંતુ બાળ જંતુઓને જોવા મુશ્કેલ છે.
  • આ બાળ જંતુઓની શરૂઆત જાણવા માટે, જ્યાં પહેલા ઉપદ્રવ થયો હોય તેવી ડાળી પર બંને બાજુએ ચીકણી હોય તેવી ટેપ લગાવો.
  • બાળ જંતુઓ નાના, ચપટાં, પારદર્શક અને તેના પગ પાતળા હોય છે.
  • એકાંતરે આ ટેપ પર જંતુઓ ચોંટ્યા છે કે તે જુઓ.
  • જો ટેપ ભીની અથવા ધૂળવાળી થઈ જાય, તો તેને બદલી નાખો.
  • વૈકલ્પિક રીતે, ડાળી નીચે સફેદ કાગળનો ટુકડો પકડી અને તેને લાકડી વડે ખંખેરી શકાય.
  • પેટે સરકતા કીડા કે, જે સફેદ, પીળો, નારંગી અથવા જાંબલી રંગના હોઈ શકે છે, તે સફેદ કાગળ પર પડે તો સ્પષ્ટપણે દેખાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો