ખાટાં ફળો

કાળા રંગના પારલેટોરિયા ભીંગડાં

Parlatoria ziziphi

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ફળો અને પાંદડા ઉપર પીળા રંગની રેખાઓ અને ટપકાં.
  • ગંભીર કિસ્સામાં અકાળે પાંદડા ખરી પડવા.
  • ફળોમાં વિકૃતિ અને સંખ્યામાં ઘટાડો.
  • પાંદડાં, ફળો અને અંકુરને આવરી લેતા નાના, કાળા રંગનાં ભીંગડાં.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

અંકુર, પાંદડાં અને ફળો પર નભતાં કાળા રંગનાં, નાના જંતુઓની હાજરી દ્વારા પી. ઝિઝિફી ના કારણે નિર્માણ થતાં ચેપના લક્ષણો જોવા મળે છે. ભારે ઉપદ્રવ ના કિસ્સામાં, ફળ, પાંદડાં અને અંકુરો, સંપૂર્ણપણે લંબચોરસ આકારના, કાળા રંગનાં ભીંગડાં અને તેના સફેદ રંગના બાળ કિડાંથી આવરિત હોય છે, અને તેને દૂર કરવા લગભગ અસંભવ હોય છે. છોડમાંથી તેના સત્વનો ક્ષય થવાના કારણે, તેની તાજગીમાં ઘટાડો થાય છે અને ખોરાક લેવામાં આવેલી જગ્યા પર પીળા રંગના રોગના અણું અથવા રજકણોનો વિકાસ થાય છે. તેના ખોરાકના કારણે ડાળીઓનો નાશ થાય છે અને ફળના વિકાસ પર ગંભીર અસર થાય છે, અને ઘણી વખત તેમાં વિકૃતિ પણ નિર્માણ થાય છે. તેના કારણે અકાળે ઘડપણ, પાંદડા અને ફળો ખરી પડવા તથા ફળની ગુણવત્તા અને સંખ્યામાં ઘટાડો થાય છે. આ પ્રજાતિ ખાટા ફળોના ઝાડ માટે સૌથી મહત્વપૂર્ણ જીવાત બની ગઈ છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સ્કુટલિસ્ટ કેરુલિયા, ડાયવરસીનેરવસ એલિગાન્સ, અને મેટોફાયકસ હેલવોલ્સ સહિતની કેટલીક પરોપજીવી ભમરી, તેમજ જેનેરા એસ્પીડીઓટીફેગાસ અને એફીટીસ ની કેટલીક પ્રજાતિ પી. ઝિઝિફી નું નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે છે. લેડીબર્ડ (ચીલોકોરસ, બાયપુસ્તુઉલેટસ અથવા સી નાયગ્રીટા, લિન્ડોરસ લોફેન્થી અને ઓરકસ ચેલીબેઉસ) જેવા શિકારીનો સુયોજિત ઉપયોગ કરવાથી પણ કાળા રંગના ભીંગડાં ની વસતી ઘટાડી શકો છો. રાઈનું તેલ અથવા ફૂગના મૂળનું કાર્બનિક જંતુનાશક પણ કાળા ભીંગડાંનું નિયંત્રિત કરવા માટે લાગુ કરી શકાય છે. અન્ય સ્થાનિક મહત્વપૂર્ણ જંતુઓ પર ઓછી અસર સાથે સફેદ તેલના સંયોજનનો (દા.ત. 4 ભાગ વનસ્પતિ તેલ અને 1 ભાગ ધોવાનો ડિટર્જન્ટ) પણ અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. મોર આવ્યા બાદ અને ઉનાળામાં પ્રથમ પેઢીનું નિયંત્રણ કરવા માટે એક ચોક્કસ સમયે કાળા રંગના ભીંગડા પર છંટકાવ કરવો જ જોઈએ. કલોરપાયરીફોસ, માલાથિયોન, અથવા ડાયમીથોએટ ધરાવતા ઉત્પાદનોની ભલામણ કરવામાં આવે છે, પરંતુ તેઓ લાભદાયક હિંસક જંતુઓ પર અસર કરી શકે છે તેથી તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

તે શાના કારણે થયું?

પારલેટોરિયા ઝિઝિફી ભીંગડાના કારણે લક્ષણો નિર્માણ થાય છે, અને યજમાન તરીકે તે મુખ્યત્વે ખાટાં ફળોની પ્રજાતિઓ ધરાવે છે. સ્થાયી થવા માટે પાંદડાં યોગ્ય જગ્યા હોવા છતાં, એ ઘણીવાર ફળ અને શાખાઓ પર પણ સ્થાયી થાય છે અને નભે છે. સમગ્ર વર્ષ દરમિયાન તેના વિકાસલક્ષી બધા જ તબક્કા જોવા મળે છે, જે દર્શાવે છે કે વર્ષ દરમિયાન આ જંતુની એકસાથે ઘણીબધી પેઢીયો, બે થી સાત પેઢી, હોય છે. આ આંકડો પણ મુખ્યત્વે ખાટા ફળો ઉગાડવામાં આવતા વિસ્તાર પર આધારિત હોય છે. સિસિલી માં અનુકૂળ પરિસ્થિતિ હેઠળ સંપૂર્ણ જીવન ચક્ર પૂર્ણ કરતા 30-40 દિવસો લાગી શકે છે, જ્યારે ટ્યુનિશિયા માં, પ્રમાણમાં ગરમ પરિસ્થિતિ હેઠળ 160 દિવસ અને ઠંડા સંજોગોમાં 70-80 દિવસ સુધી સમય લાગે છે.


નિવારક પગલાં

  • ભીંગડાનો ઉપદ્રવ જોવા માટે નિયમિતપણે વૃક્ષોનું નિરીક્ષણ કરો.
  • થોડાં ઉપદ્રવના કિસ્સામાં, છોડના ભાગને હાથથી દૂર કરવાં અથવા જંતુને કચડી નાખવા અસરકારક હોઇ શકે છે.
  • વૃક્ષના અસરગ્રસ્ત ભાગોને દૂર કરો અને વાડીથી દૂરના અંતરે તેને ઊંડા દફનાવી કે સળગાવી દેવા.
  • છોડ વચ્ચે નૈસર્ગીક પુલ નિર્માણ થતાં અટકાવવા અને ઝાડની ઘટાં માં હવાના પરિભ્રમણને સુધારવા માટે ઝાડની કાપણી કરો.
  • સંભવિત ઉપદ્રવ પામેલ સામગ્રીનું પરિવહન કરશો નહિ.
  • સ્થાનિક કુદરતી દુશ્મનોનું રક્ષણ કરવા માટે, ખેતરમાં એકસરખું વ્યાપકરીતે અસર કરતાં જંતુનાશકોનો ઉપયોગ કરવો નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો