Leptinotarsa decemlineata
જંતુ
5 mins to read
બટાકાની કોલોરાડો ભમરી પાંદડાંની કિનારી પર નભે છે અને છેવટે થડ પરથી બધા પાંદડાંનો નાશ કરે છે. ક્યારેક કાળા રંગનો સ્ત્રાવ જોઈ શકાય છે. ક્યારેક ખુલ્લી થયેલ બટાકાની ગાંઠનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. પુક્ત કીડા પીળાશ પડતાં નારંગી રંગના અને આકારે અંડાકાર હોય છે. તેમની સફેદ પીઠ પર દસ કાળા રંગના પટ્ટાની હાજરી એ સૌથી મહત્વની લાક્ષણિકતા છે. માથા પર ત્રિકોણાકાર કાળા રંગનું ટપકું હોય છે અને વક્ષ સ્થળ પર અનિયમિત આકારના ઘેરા રંગના ચિહ્નો હોય છે. ઉપરાંત, લાર્વા તેમના ભમરી જેવી લાક્ષણિકતા, લાલાશ પડતી "ચામડી" અને પીઠ પર કાળા રંગની ફોલ્લીઓની બે પંક્તિઓ દ્વારા દર્શાવવામાં આવે છે.
બેક્ટેરિયલ જંતુનાશક સ્પીનોસેડ પર આધારિત સારવાર લાગુ કરો. લાર્વાના કેટલાક તબક્કે બેક્ટેરિયમ બેસીલસ થુરીનજેનેસીસ પણ અસરકારક રહે છે. ઉપદ્રવ કારક પેરીલસ બાયોક્યુલેટ્સ અને પ્રિસ્ટીઓનચસ યુનિફોર્મિસ નેમાટોડ પણ ભમરી પર નભે છે. પરોપજીવી ભમરી એડોવમ પુટ્ટલેરી અને પરોપજીવી માખી માયોફેરસ ડોરીફોરે પણ બટાકાની કોલોરાડો ભમરીને નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે છે. વૈકલ્પિક રીતે બીજી કેટલીય જૈવિક સારવાર શક્ય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બટાકાની ભમરી સામે સામાન્યરીતે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જંતુના જીવન ચક્રના કારણે તે ઝડપથી પ્રતિકાર શક્તિ વિકસાવી શકે છે. કયો ઉપાય વસતી નિયંત્રિત કરવા માટે ઉપયોગી થાય છે તે ચકાસો.
બટાકાની પુખ્ત ભમરી ઠંડી દરમ્યાન સૂર્યપ્રકાશથી સુરક્ષિત, માટી માં ઊંડે ટકી રહે છે. વસંત દરમ્યાન તે વિકાસ પામે છે અને છોડના કુમળા ભાગને ખાવાનું શરુ કરે છે. પાંદડાંની નીચેની સપાટી પર માદા 20 થી 60 ના સમૂહમાં નારંગી રંગના, લંબગોળાકાર ઈંડા મૂકે છે. ઈંડા માંથી બહાર આવી, તે લગભગ સતત રીતે પાંદડાં પર નભે છે. તેમના વિકાસના અંત ભાગમાં તે પાંદડા પરથી પડે છે અને જમીનમાં દટાય છે, જ્યાં તે ગોળાકાર કવચ બનાવે છે અને પીળાશ પડતાં પુપામાં ફેરવાય છે.