કેળા

લાલ પામ સૂક્ષ્મજન્તુ

Raoiella indica

સૂક્ષ્મ જીવાત

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંની કિનારી પીળી પડે છે.
  • સુકા અને ખરબચડી પટ્ટીઓ.
  • પાંદડાં અને પર્ણકુંરોની નીચેની સપાટી પર અતિ સૂક્ષ્મ જંતુઓની લાલ રંગની વસાહતો.
  • સફેદ આવરણ વાળી અસંખ્ય ત્વચા.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

સામાન્ય રીતે, લાલ પામના અતિ સૂક્ષ્મ જંતુઓ મોટી સંખ્યામાં (100-300 કિડાં) પાંદડાંની નીચેની બાજુએ જોવા મળે છે અને તે નરી આંખે પણ જોઈ શકાય છે. જીવનના દરેક તબક્કામાં તે મુખ્યત્વે લાલ હોય છે, જયારે પુખ્ત માદાઓના શરીર પર ઘણીવાર ઘેરા રંગના વિસ્તારો(એક બહિર્ગોળ કાચ સાથે જોઈ શકાય છે) હોય છે. અતિ સૂક્ષ્મ જંતુઓમાં વિકાસશીલ પુખ્તો દ્વારા નિર્માણ પામેલ અસંખ્ય સફેદ ત્વચા પણ જોવા મળે છે. તેમની હાજરીના કારણે શરૂઆતમાં પાંદડા કે તેની સપાટી પર કિનારી પીળી બને છે, જે પાંદડાની પેશીઓને સમાંતર વિકાસ પામી મોટા પીળા પટ્ટીઓની રચનાનું કારણ બને છે. સમય જતાં, પીળી પેશીઓની જગ્યાએ સુકાયેલ જખમ બને છે. સામાન્યપણે પામના નીચલા પાંદડાંને વધુ ગંભીર અસર થાય છે. કેળા અને કેળ પર ભારે ચેપથી કુમળા છોડ નાશ પામી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

વાવેતરમાં હિંસક ફૂદાં, એમ્બલીસિયસ લાર્ગોન્સિસ, દાખલ કરી શકાય છે અને તે પામના અતિ સૂક્ષ્મ લાલ જંતુઓની વસ્તી ઘટાડવા માટે મદદ કરી શકે. અન્ય હિંસક જીવાત અને લેડી ફૂદાં પણ આર. ઇન્ડિકા પર નભે છે. તેથી તે વ્યાપક પણે જંતુનાશકોનો દુરુપયોગ કરીને આ નૈસર્ગીક શિકારી જંતુઓની વસ્તીમાં વિક્ષેપ ન કરવો તે મહત્વપૂર્ણ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સ્પીરોમેસીફેન, ડાયકોફોલ અને એસીકવિનોસીલ રચના પ્યુઅર્ટો રિકો માં નારિયેળ માં આર. ઇન્ડિકાની વસ્તી ઘટાડવા માટે અસરકારક હતા. એટોકસનોલ, એબામેંક્ટિન, પાયરીડેબેન, મિલિબેમેક્ટિન અને સલ્ફર ધરાવતા ઉત્પાદનોથી છંટકાવ કરવાથી ફ્લોરિડામાં અતિ સૂક્ષ્મ કીડાનું નિયંત્રણ દર્શાવેલ છે. વધુમાં, પ્રાયોગિક રીતે એકારીસીદેશ આસિકવિનોસીલ અને સ્પાયરોમેન્સીફેન કેળાંમાં આર. ઇન્ડિકાની વસ્તી ઘટાડવા માટે સક્ષમ હતા.

તે શાના કારણે થયું?

પામના અતિ સૂક્ષ્મ લાલ જંતુ, રેઓઇલા ઇન્ડિકા, ના કારણે નુકસાન થાય છે. તેઓ કહેવાતા "ખોટા કરોળિયા અતિ સૂક્ષ્મ જંતુઓ" જૂથના છે, જે સપાટ શરીર ધરાવે છે અને તેમાં અસંખ્ય બીજા કરોળિયા સાથે સંકળાયેલ જાળાની ગેરહાજરી હોય છે. તેઓ તેમની સોય જેવી રચના છોડમાં દાખલ કરીને તેના પર નભે છે અને કોષોનું દ્રવ્ય દૂર કરે છે. આ જીવાણુઓ પવનની લહેરથી અથવા નર્સરીના ચેપગ્રસ્ત રોપા અને છોડની શાખાઓ પરના કાપા દ્વારા સહેલાયથી ફેલાય છે. વરસાદ અને વધુ ભેજના પ્રમાણથી વસ્તી પર પ્રતિકૂળ અસર થાય છે અને ગરમ, સૂર્યપ્રકાશવાળા અને સૂકા હવામાન દરમિયાન વસ્તી સૌથી વધુ હોય છે. કેળાં ઉપરાંત, પામના અતિ સૂક્ષ્મ લાલ જંતુ નાળિયેર, ખજૂર અને સોપારી પામ અને સુશોભનના પામ જેવા કેટલાંક ફળ પેદા પામની પ્રજાતિઓ માટે પણ તે રોગ પેદા કરતાં જંતુ છે. કેટલાક સુશોભનના પામ આ યજમાનોની યાદી પૂર્ણ કરે છે.


નિવારક પગલાં

  • કેળાના ખેતરોમાં ચેપગ્રસ્ત વાવેતર સામગ્રીની હેરફેર ટાળવાની ખાતરી કરો.
  • લાભદાયક જંતુઓના વિકાસ માટે જંતુનાશકો ઉપયોગ નિયંત્રિત રીતે કરો.
  • જંતુના લક્ષણો માટે નિયમિતરીતે વાવેતરનું નિરીક્ષણ કરો.
  • સાધનો અને કામદારોમા સ્વચ્છતાના ઊંચા ધોરણ જાળવો.
  • વાડી અને આસપાસમાં રહેલ જંતુઓ માટેના વૈકલ્પિક યજમાનો દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો