Pseudomonas syringae pv. tabaci
બેક્ટેરિયા
આ લક્ષણો ઝડપથી વિકાસ પામી શકે છે. ટપકાં મુખ્યત્વે પાંદડા પર જોવા મળે છે, ઉપરાંત તે છોડની દાંડી, ફૂલો અને તમાકુની સીંગો પર પણ નિર્માણ થઈ શકે છે. સામાન્ય રીતે, આ ટપકાં પીળા રંગની આભાથી ઘેરાયેલા હોય છે. આ ટપકાં શરૂઆતમાં નાના, આછા-લીલા રંગના ગોળાકારે શરૂ થાય છે, જેનું કેન્દ્ર બાદમાં પેશીઓ નાશ પામવાના કારણે કથ્થઈ રંગનું બને છે. આ ટપકાંઓ એકરૂપ થઇ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, પાંદડાનો ક્ષતિગ્રસ્ત ભાગ ખરી પડે છે, અને માત્ર પાંદડાની નસો બાકી રહે છે. છોડ બળવાનો આ રોગ નર્સરીમાં રહેલ રોપાઓ સહિત, છોડના વિકાસના કોઈપણ તબક્કે અસર કરી શકે છે.
નિવારક માપદંડ અને ખેતીની યોગ્ય પદ્ધતિ એ છોડ બળી જવાના રોગનું નિયંત્રણ કરવા માટેના વિકલ્પો છે.
આ જંતુના નિયંત્રણ માટે છોડની વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં બોર્ડેક્સ મિશ્રણ જેવા કોપર આધારિત રસાયણનો ઉપયોગ કરી શકાય છે. જે વિસ્તારોમાં ખેતી માટે મંજૂરી પ્રાપ્ત હોય તો ત્યાં એન્ટિબાયોટિક સ્ટ્રેપ્ટોમાસીન પણ વિકલ્પ તરીકે ગણી શકાય છે. જો કે, બેક્ટેરિયા ઝડપથી તેની સામે પ્રતિકારક્ષમતા નિર્માણ કરી શકે છે તેથી સ્ટ્રેપ્ટોમાસીનની અસરકારકતા ઓછી પણ થઇ શકે છે. જંતુનાશકો અથવા કોઈપણ પ્રકારના રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે, રક્ષણાત્મક કપડાં પહેરવા અને લેબલ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક દેશ પ્રમાણે નિયમો જુદાજુદા હોય શકે છે, તમે તમારા વિસ્તાર પ્રમાણેના ચોક્કસ નિયમોનું પાલન કરી રહ્યા છો તેની ખાતરી કરો. તેનાથી ચોક્કસપણે સલામતી મળે છે અને સફળ સારવારની શક્યતા વધે છે.
આ રોગનું કારણ બને છે તે બેક્ટેરિયા ગરમ અને ભેજવાળી પરિસ્થિતિઓમાં, તેમજ ઘણીવાર મુશળધાર વરસાદ તોફાન પછી વધુ ફેલાય છે. રોગ કેવી રીતે અને ક્યાં ફેલાય તે માટે પવન મોટી ભૂમિકા ભજવે છે. ફુવારાથી પાણી છાંટવાથી પણ આ જ પ્રકારે બેક્ટેરિયાનો ફેલાવો થાય છે. કુદરતી અથવા બેક્ટેરિયા દ્વારા નિર્માણ થયેલ છિદ્રો દ્વારા તમાકુના છોડમાં બેક્ટેરિયા પ્રવેશ કરે છે. એકવાર અંદર પ્રવેશ કર્યા બાદ છોડની અંદર બેક્ટેરિયા વિકાસ પામે છે અને વધુ ફેલાય છે. જયારે છોડ સડે અને નાશ પામે, ત્યારે તે બેક્ટેરિયા ફરીથી પર્યાવરણમાં પ્રવેશે છે, તથા આજુબાજુના અન્ય છોડને ચેપ લગાવી શકે છે અથવા બે વર્ષ સુધી જમીનમાં જીવંત રહી શકે છે. ચેપગ્રસ્ત છોડનો કચરો, માટી અથવા ખેતરના સાધનો દ્વારા પણ તે અન્ય વિસ્તારોમાં ફેલાઈ શકે છે.