કપાસ

કપાસને કરમાવી નાખનાર બેક્ટેરિયા

Xanthomonas citri subsp. malvacearum

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા, દાંડી અને બોલ પર લાલથી ભૂરી રેખાવાળા મીણ જેવા, પાણીથી ભરેલ ફોલ્લીઓ પ્રકારના ડાઘ છે.
  • ડાળીઓ અને શાખાઓ પર કાળી ઊધઈ.
  • અકાળે પાનખર જેવી સ્થિતિ.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

બેક્ટેરિયલ બ્લાઈટ પાંદડા, દાંડી અને બોલ પર કોણીય, મીણ જેવા અને લાલથી ભૂરી બોર્ડરવાળા પાણીવાળા ડાઘથી શરૂ થાય છે. પાંદડા પર કોણીય દેખાવ સૂક્ષ્મ નસો હોવાને કારણે હોય છે. કેટલાક કિસ્સાઓમાં, પાંદડાની સપાટી પર આ ફોલ્લીઓ પાંદડાની મુખ્ય નસની સાથે ફેલાય છે. જેમ જેમ રોગ વધે છે, આ જખમ ધીમે ધીમે ભૂરા, નેક્રોટિક વિસ્તારોમાં ફેરવાય છે. દાંડીનો ચેપ કાળી ઉધાઈમાં પરિણમે છે, જે વેસ્ક્યુલર પેશીઓની આજુબાજુમાં થાય છે, જેના કારણે તેની ઉપરના ભાગો મરી જાય છે અને અકાળે છોડના પાંદડા ખરી પડે છે. બેક્ટેરિયમ ધરાવતો સફેદ મીણ જેવો પદાર્થ જૂના પાંદડાવાળા સ્થળો અથવા ઉધાઇવાળા સ્થળો પર રચાય છે. બોલમાં સડો થવાથી, બીજ સડવાથી અને કપાસનો રંગ બદલાવાના કારણે બોલને ચેપ લાગી શકે છે. ચેપવાળા બોલ પર કોણીય કરતાં ગોળાકાર જખમ હોય છે જે શરૂઆતમાં પાણીવાળા દેખાય છે. જેમ જેમ ચેપ આગળ વધે છે તેમ બોલના જખમ ઊંડા થાય છે અને ઘેરા બદામી અથવા કાળા રંગના થઈ જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

Pseudomonas fluorescens અને બેસિલસ સબટિલિસ બેક્ટેરિયા ધરાવતી પાવડર રચનાઓનો ઉપયોગ એક્સ.માલ્વાસેઅરમ સામે કાર્યક્ષમ છે. Azadirachta indica (લીમડાના અર્ક) નો ઉપયોગ સંતોષકારક પરિણામો આપી શકે છે. વિકાસ પરિબળો કે જે તેની વૃદ્ધિ અટકાવે છે, તે બેક્ટેરિયાના ચેપને પણ ટાળે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે હંમેશા જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. એક્સ. માલ્વાસેઅરમ સામે અધિકૃત જંતુનાશકો અને કપ્રાવીટ (0.૨%) વાળો સ્પ્રે બીજ ઉપચાર માટે ખૂબ અસરકારક છે. એસિડ ટ્રીટમેન્ટ દ્વારા બીજ સાફ કર્યા પછી કોપર ઓક્સીક્લોરાઇડથી બીજનું ડ્રેસિંગ પણ સારા પરિણામો દર્શાવે છે. ફેરોમોન જાળી અને દર ૨૧ દિવસના અંતરાલમાં બદલાતા પ્રલોભનનો ઉપયોગ પણ થઈ શકે છે.

તે શાના કારણે થયું?

Xanthomonas citri subsp દ્વારા બેક્ટેરિયલ બ્લાઈટ થાય છે. માલવાસેઅરમ(malvacearum), એક બેક્ટેરિયમ જે ચેપગ્રસ્ત પાકના કાટમાળ અથવા બીજમાં જીવિત રહે છે. તે કપાસ માટે સૌથી વિનાશક રોગોમાંનો એક છે. નોંધપાત્ર વરસાદ, ભેજ અને ગરમ તાપમાન જેવી આબોહવા સાથે રચાય તો આ રોગનો વિકાસ થાય છે. બેક્ટેરિયા પાંદડાના કુદરતી કાણા (stomata) અથવા યાંત્રિક ઘાવમાંથી પાંદડાની પેશીઓમાં પ્રવેશ કરે છે. આ વર્ણવે છે કે કેમ આ રોગ ખૂબ જ તીવ્ર વાવાઝોડા કે ભારે વરસાદ અથવા કરા પડે તો પણ ખેતરમાં રહે છે. ચેપ બીજમાંથી ઉત્પન્ન થયેલ હોઈ શકે છે, તેથી એસિડ ટ્રીટમેન્ટ કરેલ બીજ ફાયદાકારક છે. પોતાની જાતે ઉગતા અમુક છોડ પણ આ બેક્ટેરિયાના ઉદ્ભવનું કારણ બની શકે છે.


નિવારક પગલાં

  • એસિડ ટ્રીટમેન્ટ કરેલ ઉચ્ચ ગુણવત્તાવાળા, રોગ મુક્ત બીજ વાવો.
  • આ રોગથી બચવા માટે ફૂગ-નિરોધક જાતોનો ઉપયોગ કરવો એ વધુ અસરકારક પદ્ધતિ છે.
  • નિયમિતપણે ખેતરની ચકાસણી કરો, ચેપગ્રસ્ત છોડને ઓળખો અને તેની આસપાસના ચેપી છોડને પણ દૂર કરો.
  • ભેજ ઘટાડવા અને પર્ણસમૂહને સૂકા રાખવા માટે ખેતર પરના છત્રને શક્ય તેટલું ખુલ્લું રાખો.
  • પર્ણસમૂહ ભીના હોય ત્યારે ખેતરમાં વાવેતર ન કરો અથવા સાધન ખસેડો નહીં.
  • ઓવરહેડ સિંચાઇ સિસ્ટમોથી સિંચાઈ કરશો નહીં.
  • વધુ નુકસાનથી બચવા શક્ય તેટલી વહેલી તકે ચેપગ્રસ્ત છોડને ખેતરમાંથી દૂર કરી તેને બાળી નાખો.
  • ચેપિત અવશેષોને જમીનમાં ખૂબ ઊંડે દાટો જેથી તેનું વિઘટન થાય.
  • બિન-સંવેદનશીલ છોડ સાથે પાકની ફેરબદલીની યોજના બનાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો