શેરડી

શેરડીના નવા અંકુરનો વિકાસ અટકવાનો રોગ

Leifsonia xyli

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • નવા અંકુરની વૃદ્ધિ અટકવી.
  • બે ગાંઠ વચ્ચે ટૂંકું અંતર, પાતળા સાંઠા, અને પીળા નિસ્તેજ પાંદડાં.
  • આંતરિક વિકૃતિકરણ અથવા થડમાં લાલ રંગનો સુકારો.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

મોટા ભાગે સાંઠામાંથી વિકાસ પામતાં પાકમાં મળી આવે છે. પ્રારંભમાં, વિકાસ રૂંધાવા ઉપરાંત કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી. બે ગાંઠ વચ્ચેના ભાગમાં આંતરિક નાજુક પેશી પર સોયની અણી સાથે સામ્યતા ધરાવતાં બેક્ટેરિયાજન્ય નારંગી રંગના ટપકાં હોય છે. પાછળથી, અટકેલો વિકાસ, બે ગાંઠો વચ્ચે ટૂંકું અંતર, પાતળા સાંઠા, પીળા પાંદડાં, ટોચ તરફ ઝડપથી શંકુ આકાર એ રોગની લાક્ષણિકતા દેખાય છે. હવામાન અને વનસ્પતિની જાત પર આધાર રાખીને સાંઠા ઝડપથી નિસ્તેજ પીળા અથવા રાતા-બદામી બને છે. વિકૃતિકરણ બે ગાંઠની વચ્ચેના ભાગ સુધી પહોંચતું નથી. કેટલાક અત્યંત સંવેદનશીલ રોપા, વધુ ભેજ હેઠળ કરમાશ અને પાંદડાની ટોચ અને કિનારી પર પીળાશ પડતો દેખાવ આપે છે. ઉપજમાં ઘટાડો એ પણ એક અન્ય લક્ષણ છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

10 મિનિટ માટે (50 ° સે પર) ગરમ પાણીમાં પૂર્વ સારવાર આપો અને બિયારણ માટેની શેરડીને સારવારથી 1-5 દિવસ પહેલાં કાપી લો. પછીના દિવસે 2-3 કલાક માટે 50 ° સે તાપમાનવાળા ગરમ પાણીથી સારવાર આપો. નોંધ કરો કે આના પરિણામે અંકુરણના દરમાં ઘટાડો થઇ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. એમોનિયમ સલ્ફેટ ના ઉપયોગથી રોગમાં નોંધપાત્ર ઘટાડા સાથે શેરડી અને સફેદ ખાંડના ઉત્પાદનમાં વધારો થાય છે. 30 મિનિટ માટે 52° સે તાપમાન વાળા ગરમ પાણી અને એન્ટિબાયોટિકથી સારવાર કરવાથી પણ અંશતઃ રોગ ઓછો થાય છે અને ઉપજ વધે છે.

તે શાના કારણે થયું?

જીવાણુ છોડના કાટમાળ અથવા માટીમાં કેટલાય મહિનાસુધી ટકી રહે છે અને માત્ર ઝખ્મ મારફતે છોડમાં પ્રવેશી શકે છે. જીવાણુ યાંત્રિકરીતે ઝખ્મ મારફતે સરળતાથી ફેલાય છે.


નિવારક પગલાં

  • રોગનો ફેલાવો અવરોધવા તંદુરસ્ત શેરડીની વાવણી કરો.
  • છોડને ઇજા ન થાય તે માટે તેમની કાળજીથી સંભાળ લો.
  • લણણી પછી ખેતરમાંથી છોડનો કાટમાળ દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો