Rhizoctonia solani
ફૂગ
જમીનની નજીક આવેલા પાંદડાની સપાટી પર નાના, 2-3 મીમી કદના, સફેદ અથવા ટેન રંગના પ્રાથમિક ડાઘ દેખાય છે. જેમ જેમ રોગ વધે છે તેમતેમ તે બહારની તરફ ફેલાય છે. પ્રાથમિક ડાઘની આસપાસ સુકાયેલ રીંગ નિર્માણ થાય છે. ખેતરમાં, આવા ટપકાં પ્રથમ સૌથી નીચે આવેલા, જૂના પાંદડા પર નિર્માણ થાય છે, અને પછી સમય જતાં તે ઉપરની બાજુએ આવેલ પાંદડા તરફ આગળ વધે છે.
ટ્રાઇકોડર્મા એસપી. ના ઉપયોગથી આર. સોલાનીમાં અસરકારક જૈવિક અવરોધ જોવામાં મળેલ છે. ટી. હાર્ઝિયનમ થી આર. સોલાનીની વૃદ્ધિ ઘટાડી શકાય છે અને તમાકુના છોડમાં રોગનું નિયંત્રણ કરી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો હંમેશા પ્રતિબંધક પગલાં સાથે જૈવિક સારવારયુક્ત સંકલિત અભિગમનો ઉપયોગ કરવો. ફુગના કારણે પાંદડા પર નિર્માણ થયેલ ટપકાં માટે પાંદડાં પર મેન્કોઝેબ અને એઝોક્સિસ્ટ્રોબિન લાગુ કરી શકાય છે.
ભૂમિજન્ય રોગકારક જંતુ આર. સોલાની ના કારણે નુકસાન નિર્માણ થાય છે. ફૂગ જમીનની અંદર મુખ્યત્વે હાઇફે અથવા સ્ક્લેરોશિયા તરીકે અસ્તિત્વમાં હોય છે. આ રોગ લાક્ષણિક ગ્રીનહાઉસના રોપા દ્વાર અથવા આ રોગ માટેની ફૂગ જે નૈસર્ગીક રીતે ખેતર અથવા આસપાસ હાજર હોય છે તેના દ્વારા ફેલાઈ શકે છે. સામાન્ય તાપમાન, વધુ પડતો ભેજ અને લાંબા સમય સુધી ભીના આ રોગની તરફેણ કરે છે. જ્યારે આ રોગ માટે યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યારે તે ઉપજને ગંભીર રીતે ઘટાડી શકે છે.