ચોખા

ચોખાના પાંદડાના આવરણનો સડો

Sarocladium oryzae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • સૌથી ઉપરના પાંદડાના આવરણો પર ડાઘ જેવા જખમ.
  • પાંદડાના આવરણનું સડવું.
  • પાવડરવાળી ફુગની વૃદ્ધિ સાથે સાથે ખરાબ રંગના દાણા.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

પ્રારંભિક લક્ષણો પાંદડા પર અનિયમિત ડાધા (0.5 થી 1.5 મીમી) સુધી છે જે ડૂંડાને ઢાંકી દે છે. ડાઘાના લક્ષણોમાં ભૂખરા કેન્દ્રો અને બદામી માર્જીન અને ઘણી વખતે ભેગા થઇ જાય છે અને સડો થાય છે અને પછી પાંદડાના આવરણો વિકૃત થઇ જાય છે. કેટલાંક ચેપમાં નાના ડૂંડા મોટા થતા જ નથી. ઇજા પામેલા પાંદડાના આવરણ પર પુષ્કળ સફેદ પાવડરની ફુગનો વિકાસ બહારની સપાટી પર જોવા મળે છે. બહાર નીકળેલા ડૂંડામાં અનાજ ખરાબ રંગનું અને જંતુરહિત થઇ જાય છે. બહાર નહી નીકળેલાં ડૂંડા ફ્લોરેટ્સ ઉત્પન્ન કરે છે જે લાલ બદામીથી ગાઢ બદામી થઇ જાય છે. ચેપ વધારેમાં વધારે નુકશાન જ્યારે તે મોડા શરૂઆત થાય તે તબક્કામાં થાય છે ત્યારે કરે છે અને તેનાથી ખૂબ જ નુકશાન થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સાઇટ્રસ અને ચોખામાંથી જુદા પાડેલા સ્યુડોમોનાસ ફ્લુઅર્સના ના રાઇઝોબેક્ટેરિયા ચોખાના આવરણના સડાની ફુગ માટે ઝેરી છે તેના પરિણામે રોગનુ પ્રમાણ ઓછુ અને પેદાશ વધારે થાય છે. બાયપોલારિસ ઝીકોલા એ બીજુ આવરણના સડાનું શક્તિશાળી પ્રતિકાર કરનારુ છે જે એસ ઓર્ઝેનાની સંપૂર્ણપણે માસેલિયલ વૃદ્ધિને અટકાવી શકે છે. ટેગેટ્સ ઇરેક્ટાના પાંદડા અને ફૂલોના રસની ફુગ વિરોધી પ્રવૃત્તિ પણ એસ ઓરિઝા માયસેલિયમને 100% અટકાવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ભારે ચેપના કિસ્સામાં, મૅન્કોઝબ, કોપર ઓક્સિક્લોરાઇડ અથવા પ્રોપેનિકનોઝોલ (સામાન્ય રીતે 1 એમએલ / 1 લિટર પાણી) જેવા ફંગીસાઇડ્સનો ઉપયોગ સાપ્તાહિક અંતરાલોમાં બૂટિંગ અને ડૂંડાના ઉદભવ દરમિયાન કરવાથી રોગની તીવ્રતા ઘટાડી શકે છે. વાવણી પહેલાં મેન્કોઝબ જેવા બીજ સારવારના ફૂગનાશકનો ઉપયોગ પણ અસરકારક છે.

તે શાના કારણે થયું?

પાંદડાના આવરણનો સડો એ મુખ્યત્વે બીજમાંથી જન્મતો રોગ છે. આ રોગ મુખ્યત્વે સરોક્લેડિયમ ઓરિઝા નામની ફુગ દ્વારા થાય છે. પણ કેટલાંક કિસ્સાઓમાં તે સેક્રોલેડિયમ એટેન્યુએટમ દ્વારા પણ થાય છે. ફુગ લણણી પછી ચોખાના પાકના વધેલા ઘાસ કચરામાં જીવતો રહે છે અને પછીની ઋતુમાં ચેપ લગાડે છે. તેની તીવ્રતા છોડની ઘીચતાના વધારા સાથે વધે છે અને એવા છોડવાઓમાં જે ફુગને દાખલ થવાની જગા પર હોય છે તે ઇજા અને ઘા ના વધારા સાથે વધે છે. અને એવા છોડવાઓમાં, જે ફુગને દાખલ થવાની જગ્યા પર હોય છે તે ઇજા અને ઘા જે કિટકો દ્વારા ડૂુંડા આવવાના તબક્કામાં થાય છે. પોટેશિયમ કેલ્શીયમ સલ્ફેટ અથવા ઝીંકના ખાતરો ખેતીના તબક્કામાં આપવાથી થડ અને પાંદડાના કોષ મજબૂત થાય છે. અને આ રીતે ભારે નુકશાન દૂર કરે છે. તે વાયરસના ચેપથી છોડને નબળો પાડવા સાથે પણ સંકળાયેલુ છે ગરમ (20-25 સે.) અને ભેજવાળુ વાતાવરણ રોગની વૃદ્ધિને અનુકૂળ છે.


નિવારક પગલાં

  • જો શક્ય હોય તો પ્રમાણિત સ્રોતોમાંથી તંદુરસ્ત બીજ વાપરો.
  • 25સેમી x 25સેમી ના વિશાળ વાવેતર અંતરનો ઉપયોગ કરો.
  • ઓછામાં ઓછી બે જાતોનો ઉપયોગ કરીને એક જ ક્ષેત્રમાં મોનોકલ્ચર્સ ટાળો.
  • પેનિકલ માઇટ જેવા જંતુઓ માટે નિયમિતપણે ખેતરોનું સર્વેક્ષણ કરો અને તેમને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો જેથી તે કાબુમાં રહે.
  • ખેતીના તબક્કે પોટેશિયમ, કેલ્શિયમ સલ્ફેટ અથવા ઝીંક ખાતરો લાગુ કરો.
  • ચેપગ્રસ્ત થડ અને નીંદામણને ખેતરમાંથી દૂર કરવામાં પણ મદદ કરે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો