જવ

જાળીદાર ચાઠાં

Pyrenophora teres

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર ટાંકણીના અણી જેવા બદામી રંગના ઝખ્મ, જે જાળી જેવી ભાત બનાવે છે.
  • જખમ પાંદડાંની સંપૂર્ણ સપાટી પર પીળા રંગની આભા સાથે ફેલાય છે.
  • પર્ણદંડ પર નાના બદામી રંગની રેખાઓ.
  • ચીમળાયેલ બીજ.

માં પણ મળી શકે છે

2 પાક

જવ

લક્ષણો

જાળી જેવા ટપકાંના બે દેખાવ છે: ટપકાં જેવો દેખાવ અને જાળી જેવો દેખાવ. તેના લક્ષણો સામાન્ય રીતે પાંદડા પર જોવા મળે છે, પરંતુ ક્યારેક ક્યારેક તે પર્ણ દંડ પર્ણ અને દાણાના આવરણ પર પણ દેખાઈ શકે છે. જાળી જેવો દેખાવ ટાંકણીના અણી જેવા બદામી રંગના જખમ થી શરુ થાય છે જે વધે છે અને સમગ્ર પાંદડા પર સમગ્ર સપાટી પર પાતળી, ઘેરો બદામી રંગનીએ છટાઓ નિર્માણ કરે છે, અને વિશિષ્ટ જાળી જેવી ભાત બનાવે છે. જૂનું જખમ પર્ણની શિરા સાથે વિસ્તારવાનું ચાલુ રાખે છે અને ઘણી વખત તે પીળા રંગની કિનારી દ્વારા ઘેરાયેલ હોય છે. શરૂઆતમાં ટપકાં પીળી કિનારી થી ઘેરાયેલ, નાના, ઘન બદામી અંડાકાર જખમ હોય છે. પાછળથી, આ જખમ 3-6 મીમી વ્યાસના આછા કે ઘેરા બદામી રંગના ચાઠાં તરીકે વિકસે છે. ડૂંડાં પર પણ ચેપ લાગી શકે છે. નાની બદામી રંગની છટા, જાળી જેવા દેખાવ વગર, દાણાના છોતરા પર વિકાસ પામે છે, જે ઓછી ઉપજ અને ચીમળાયેલ બીજ પેદા કરે છે. દૂષિત કર્નલના પાયામાં અસ્પષ્ટ બદામી જખમ હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને પેરેનોફોરા ટેરેસ માટે કોઇ જ વૈકલ્પિક સારવાર વિષે ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તેના વિષે તમે કંઈક જાણતા હોવ તો, કૃપા કરીને અમારો સંપર્ક કરો. તમારા તરફથી જાણવા માટે અમે ઉત્સુક છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાંદડાં પર ટ્રાઈઝોલ અને સ્ટ્રોબીલુરીન ધરાવતા ફુગનાશકનો છંટકાવ કરવાથી જાળીવાળા ચાઠાંના બંને સ્વરૂપોને નિયંત્રિત કરી શકાય છે. ટબુકોનેઝોલ વાપરવાનું ટાળો. વધુ વરસાદવાળા વાતાવરણમાં બે વખત છંટકાવ કરવો જરૂરી બની શકે છે. જ્યારે પણ શક્ય હોય, ફુગનાશકનો જુદા સ્વરૂપે ઉપયોગ કરવો, જેથી તેના પ્રત્યે પ્રતિકારનો વિકાસ થવાનું જોખમ ઘટાડી શકાય. બીજની સારવાર જ જાળીવાળા ચાઠાંના રોગ સામે જ અસરકારક છે.

તે શાના કારણે થયું?

જાળીવાળા ચાઠાં પેરેનોફોરા ટેરેસ ફુગના કારણે થાય છે. તે ઠંડી દરમ્યાન પાકના અવશેષો અને જાતે ઊગેલ છોડ પર નભે છે. ચેપવાળા બીજમાંથી પણ રોગ પેદા થઇ શકે છે, પરંતુ સામાન્ય રીતે તે ગૌણ બનાવ છે. હવાજન્ય રોગના બીજ અને વરસાદના છાંટા દ્વારા રોગ ફેલાય છે. પાકમાં પ્રાથમિક ચેપ 10ºC અને 25ºC વચ્ચેના તાપમાને અને અંદાજે છ કલાક સુધી ભેજવાળી પરિસ્થિતિ પછી લાગે છે. જ્યારે પણ શરતો અનુકૂળ હોય છે ત્યારે પ્રાથમિક ચેપના 14 થી 20 દિવસ બાદ પવન દ્વારા રોગના બીજ ફેલાય છે. ગંભીર ચેપના કિસ્સામાં પાંદડાંનો લીલો વિસ્તાર ઘટે છે અને છોડની ઉત્પાદકતા ઘટે છે તથા પાંદડા અકાળે નાશ પામે છે. થડમાં ફૂગનો વિકાસ થાય છે. લણણી પછી તે બચેલા અવશેષો પર અસ્તિત્વ ધરાવે છે, જ્યાંથી તે પછીની મોસમ દરમિયાન નવા ચેપની શરૂઆત કરે છે. જાળીવાળા ચાઠાં મુખ્યત્વે બીજનું વજન અને અનાજની ગુણવત્તા ઘટાડે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ માંથી અથવા રોગ પેદા કરતા જીવાણુ મુક્ત પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ બીજ વાપરો.
  • જો ઉપલબ્ધ હોય તો, સહિષ્ણુ જાતોનો ઉપયોગ કરો.
  • જો શક્ય હોય તો મોસમમાં પાછળથી વાવણી કરો.
  • વાવણી સમયે ક્યારી ગરમ, ભેજવાળી અને પાણીનો સારી રીતે નિકાલ થયેલ હોવો જોઈએ.
  • બીજને પર્યાપ્ત ભેજ મળી રહે તે માટે જરૂરી કરતાં વધુ ઊંડી રોપણી કરવી નહિ.
  • પર્યાપ્ત પોષકતત્વો મળી રહે તેની ખાતરી કરો.
  • જમીનમાં પોટેશિયમ પૂરતા પ્રમાણમાં હોય તેની ખાતરી કરો.
  • પાંદડાંના ઉદભવની આસપાસ નજીકથી પાકનું નિરીક્ષણ કરો.
  • અન્ય કોઇ પાક સાથે ફેરબદલી કરો, એક-બે વર્ષનું અંતર જરૂરી હોય છે.
  • ઘાસ અને સ્વયં ઉગી નીકળેલ પાકનું નિયંત્રણ કરો.
  • લણણી પછી ઊંડી ખેડ કરી છોડના અવશેષોને દફનાવી દો.
  • શક્ય હોય તેટલું ટકી શકે તેવા પાકના અવશેષને આગળ વધતાં અટકાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો