Puccinia substriata
ફૂગ
પાંદડાની બંને બાજુઓ પર, સફેદ-પીળા ટપકા દેખાય છે. આ ટપકા ઉપસી શકે છે.જેમ જેમ રોગ વિકસે છે, ત્યારે ટપકા ભેગા થાય છે અને લાલાશ પડતી નારંગી અને કાટવાળા રંગની ફોલ્લીઓ નિર્માણ કરે છે. ફોલ્લીઓ પર પીળા રંગની આભા હોઈ શકે છે.પાછળથી આ ફોલ્લીઓ ઘાટી થાય છે. ચેપને કારણે પાંદડા મૃત્યુ પામે છે અને ગંભીર કિસ્સાઓમાં છોડ નું પતન થાય છે.રોગ પાકના કોઈપણ તબક્કે થઈ શકે છે, પરંતુ જો ચેપ મોરની શરૂઆતમાં થાય તો ભારે નુકસાન થાય છે.
આવા રોગને નિયંત્રિત કરવા માટે અઝાદિરાચટીન 0.15% અથવા ટ્રાઇકોડર્મા વિરિડ 3% જેવા ફુગની પ્રજાતિઓ નો છંટકાવ કરી શકાય છે. વૈકલ્પિક રીતે એસ્પરગિલસ ગ્લોબોસમ, ચૅટોમીયમ ગ્લોબોસમ અને ટ્રાઇકોડર્મા કૉનીનગી વાપરી શકાય છે.
હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. નાના ખેડૂતો માટે,ફુગનાશકો મોટેભાગે આર્થિકરીતે શક્ય નથી. બાજરીના આ રોગને નિયંત્રિત કરવા માટે તાંબાના સંયોજનો, ક્લોરોથલોનીલ, સલ્ફર અથવા મંકોઝેબ જેવા ફુગનાશકો નો ઉપયોગ કરી શકાય છે.
પુકસિનિયા સબસ્ટ્રીયાટ ફૂગ ને કારણે આ રોગ થાય છે. રોગ પેદા કરતા જીવાણુ માટે રીંગણા અને વિવિધ ઘાસની જાતો જેવા વૈકલ્પિક યજમાનોની વિશાળ શ્રેણી છે. તે પવન દ્વારા લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે. વધુમાં, રોગ પેદા કરતા જીવાણુ જમીનમાં,છોડના અવશેષો પર અને વૈકલ્પિક યજમાનો પર નભે છે. ઠંડી રાત (15-20 ° સે) અને ગરમ દિવસો (25-34 ° સે) ,જયારે પાંદડા પર ઝાકળ થાય છે તે ફૂગ માટે સાનુકૂળ સ્થિતિ છે. આને કારણે ચેપ થવાનું જોખમ વધે છે.