અન્ય

કઠોળના પાંદડા ઉપર સેરકોસ્પોરાના ટપકાં

Cercospora canescens

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નાના આછા બદામી રંગના વલય, જેની આજુબાજુનો ભાગ લાલાશ-બદામી પડતા રંગ દ્વારા ઘેરાયેલો.
  • શાખાઓ અને લીલી શીંગો પર ટપકાં.
  • ભારે પાનખર.
  • ઉત્પાદનમાં ઘટાડો.


અન્ય

લક્ષણો

રોગ પેદા કરતા જીવાણુની તાકાત અને છોડના પ્રકારને આધારિત લક્ષણો સહેજ જુદા હોય છે. પાકની વાવણી પછી 3-5 અઠવાડિયામાં, પાંદડા પર નાના બદામી રંગના ટપકાં પીળા રંગની આભા સાથે દેખાય છે. રોગના અંતિમ ચરણમાં, ટપકાં વધીને અસંખ્ય બની જાય છે અને લાલાશ-કથ્થઈ રંગ(ઘેરો બદામી) સાથે છોડ થોડો નબળો દેખાય છે. તે છોડના અન્ય ભાગો પર પણ વિકસી શકે છે, ખાસ કરીને લીલી શીંગો પર. અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ, પાંદડા પર અતિ ચેપ ના કારણે, ફૂલ અને શીંગ આવવાના સમયે ભારે પાનખર સર્જાઈ શકે છે. ફૂગ શીંગોની સપાટી પર અને અંદર વધે છે, તેમને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડે છે, અને ઘણી વખત ઉત્પાદનને 100% નુકશાન પહોંચાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જો શક્ય હોય તો, બીજને ગરમ પાણીથી સારવાર આપો. લીમડાના તેલના અર્કની સારવાર પણ રોગની ગંભીરતા ઘટાડવામાં અસરકારક છે (વધુ પ્રમાણમાં શીંગો અને બીજ, તંદુરસ્ત શીંગો, વધુ વજન).

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો ફુગનાશક સારવારની જરૂર હોય તો, 10 દિવસમાં બે વાર મેન્કોઝેબ, ક્લોરોથેલોનીલ @ 1 ગ્રા/લિ અથવા થિયોફેનેટ મિથાઇલ @ 1 મિલી ધરાવતા ઉત્પાદનનો ઉપયોગ કરવો.

તે શાના કારણે થયું?

પાંદડા ઉપર ટપકાંનો રોગ સેરકોસ્પોરા કેનેંસીન ફૂગ દ્વારા થાય છે, જે કાળા મગ અને લીલા મગને અસર કરે છે. ફૂગ બીજમાં જન્મે છે અને છોડના કચરામાં 2 વર્ષ જેટલા સમયગાળા સુધી જીવી શકે છે. મૂળ પ્રણાલીને અનુસરી ને તે માટીની અંદર લાંબા અંતરની મુસાફરી કરી શકે છે. તે પણ વૈકલ્પિક યજમાનો અથવા નિંદણમાં પણ ઝડપથી વધે છે. છોડના નીચલા ભાગમાં ફેલાવો પાણીના છંટકાવ અને હવા મારફતે થાય છે. દિવસ અને રાત દરમ્યાન વધતું તાપમાન, ભેજવાળી જમીન, હવામાં ભેજનું વધુ પ્રમાણ અથવા ભારે તોફાની વરસાદ ફૂગના ફેલાવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે.


નિવારક પગલાં

  • માટી સારીરીતે સુકાઈ હોય તેની ખાતરી કરો.
  • તંદુરસ્ત છોડના અથવા પ્રમાણિત જીવાણુમુક્ત સ્ત્રોતના જ બિયારણ તરીકે વાપરો.
  • પ્રતિકારક્ષમ અને ટકી શકે એવી જાતનું વાવેતર.
  • મોરના માળખાને થતું નુકશાન અટકાવવા માટે મોડું વાવેતર કરો.
  • હરોળ વચ્ચે ફેલાવો અટકાવવા, ઉંચાઈવાળા અનાજ અને ધાન્ય જેવા પાકનું આંતર-વાવેતર કરો.
  • સારા હવા ઉજાસ માટે છોડ વચ્ચે પૂરતી જગ્યા છોડો.
  • છોડના નીચેના ભાગમાં ફૂગ લાગતી અટકાવવા માટે જમીન પર રક્ષણાત્મક પદાર્થનું આવરણ ચડાવો.
  • ખેતરની સ્વચ્છતાની ખાતરી કરવા, બધા પાકના બધા અવશેષોને દૂર કરો અને તેને સળગાવી દો.
  • દૂષિત થયેલા સાધનોને સ્વરછ કરો.
  • છોડ ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવાનું ટાળો.
  • બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરવી સલાહભર્યું છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો