અન્ય

ડૂંડામાં પેનિસિલિયમ સડો

Penicillium spp.

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • મકાઈ / મકાઈના ડૂંડાને અસર કરે છે.
  • મકાઈના કાણસલાની સપાટી અને દાણામાં ભૂરા-લીલા રંગની બીબા જેવી વૃદ્ધિ.
  • દાણા રંગ ગુમાવે છે, અને આંતરિક (વાદળી આંખ) સડો.

માં પણ મળી શકે છે

1 પાક

અન્ય

લક્ષણો

સૌ પ્રથમ ડૂંડામાં પેનિસિલિયમ નો સડો મકાઈના દાણામાં લણણી પછી જોવા મળે છે, તેથી તેનું એવું નામ છે. અંકુરણ દરમિયાન દૂષિત થયેલ છોડની વૃદ્ધિ અટકે છે, છોડ નમી પડે છે અને પીળો પડે છે. છોડના પાછળના તબક્કા દરમ્યાન, ફૂગ ડૂંડાને સંક્રમિત કરી શકે છે, જંતુ ના કારણે થયેલ જખમ અથવા યાંત્રિક ઇજાઓ પ્રવેશ દ્વાર તરીકે વર્તે છે. યાંત્રિક ઇજાઓ ખેતરમાં કામ કરતી વખતે અથવા લણણી દરમિયાન થઇ શકે છે. વધતું તાપમાન અને ઉચ્ચ ભેજવાળું વાતાવરણ મકાઈના કાણસલાની સપાટી અને દાણામાં ભૂરા-લીલા રંગની બીબા જેવી વૃદ્ધિ કરે છે. ચેપગ્રસ્ત દાણા ખાસ કરીને રંગ ગુમાવે છે, રેસાઓ વાળા અને આંતરિક રીતે સડે પણ છે(જેને વાદળી આંખના લક્ષણ કહે છે). ક્યારેક આ બીબા જેવી વૃદ્ધિ લણણી પછી અથવા સંગ્રહ દરમ્યાન જ દેખાય છે. દાણામાં સડો ઉપજમાં અથવા લણણી પછી નુકસાનમાં પરિણમી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને પેનિસિલિયમ એસપીપી સામે કોઇ વૈકલ્પિક અસરકારક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો ખરેખર જરૂરી હોય તો, મેન્કોઝેબ અથવા કેપટન ધરાવતા ફુગનાશક લાગુ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

પેનિસિલિયમ એસપીપી. ફૂગ હવાજન્ય અને વાતાવરણમાં સર્વવ્યાપક છે. તેઓ ઓછા પાણીમાં પણ વધી શકે છે અને જમીનમાં અથવા સંગ્રહ દરમ્યાન પાકના કચરામાં ટકી રહે છે. તે સામાન્ય રીતે પવન અને વરસાદના છાંટાથી ફેલાય છે અને ઘાવ મારફતે ડૂંડાને સંક્રમિત કરે છે. તે ઉચ્ચ ભેજના પ્રમાણ અને વધતાં તાપમાનમાં ખીલે છે. ફૂલ અને ફળ આવવાના સમયમાં રોગ વધુ સામાન્ય છે. પ્રથમ લક્ષણો માત્ર સંગ્રહ દરમિયાન જોઈ શકાય છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ બિયારણ વાપરો.
  • પ્રતિકારક અથવા સહિષ્ણુ જાતનું વાવેતર કરો.
  • ઓછા વરસાદ અને ભેજના સમયમાં દાણો ભરાય તે રીતે વાવણીનો સમય નક્કી કરો.
  • હવાની સારી અવરજવર માટે છોડ વચ્ચે પૂરતી જગ્યા છોડો.
  • ખેતરને નીંદણ અને વૈકલ્પિક યજમાનોથી ચોખ્ખું રાખો.
  • પાકની સંભાળ લેતી વખતે તેને નુકસાન ન થાય તેની કાળજી રાખો.
  • નુકસાન ટાળવા માટે શક્ય તેટલી વહેલી પાકની લણણી કરો.
  • સંગ્રહ દરમિયાન દાણામાં ફૂગનો વિકાસ થતો અટકાવવા ભેજનું પ્રમાણ 14% થી નીચે જાળવી રાખો.
  • અનુગામી સીઝનમાં દૂષિત દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરવો જોઇએ નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો