બટાટા

Solanum tuberosum


પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
સીધું વાવેતર

લણણી
75 - 120 દિવસો

મજૂર
ઉચ્ચ

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.2 - 6.4

તાપમાન
23°C - 25°C

ફળદ્રુપતા
ઉચ્ચ


બટાટા

પરિચય

બટાટા મૂળ દક્ષિણ અમેરિકાના એન્ડીઝના છે. ભારતમાં છેલ્લા 300 વર્ષથી બટાટાની ખેતી કરવામાં આવે છે અને તે અહીના સૌથી લોકપ્રિય પાકમાંનો એક બની ગયો છે. બટાકા તેમના ખાદ્ય કંદ માટે ઉગાડવામાં આવે છે તે સસ્તો ખોરાક છે કારણ કે તેઓ મનુષ્યો માટે ઓછા ખર્ચે ઊર્જા સ્રોત પૂરો પાડે છે. બટાટામાં પુષ્કળ પોષક મૂલ્ય હોય છે કારણ કે તે સ્ટાર્ચ, વિટામિન (ખાસ કરીને C અને B1) અને ખનિજોથી સમૃદ્ધ છે. બટાકાનો સ્ટાર્ચ અને દારૂ ઉત્પાદન જેવા ઘણા ઔદ્યોગિક હેતુઓ માટે પણ ઉપયોગ થાય છે.

સલાહકાર

કાળજી

કાળજી

સફળ બટાટાના પાક માટે તંદુરસ્ત, રોગ મુક્ત બીજ કંદનો ઉપયોગ સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. છત્ર વિકસિત થાય ત્યાં સુધી છોડના સારા વિકાસ માટે (વાવેતર પછી લગભગ 4 અઠવાડિયાની અંદર) નિંદામણનો નિકાલ થવો જરૂરી છે. જમીનનું નીંદામણની વૃદ્ધિને મર્યાદિત કરવામાં અને જમીનને પોચી કરવામાટે દર 15-20 દિવસે જમીનનુ સુયોજન કરવુ પડે છે. બટાકાની પોષક જરૂરિયાત વધારે હોવાથી લીલા ખાતરને ફર્ટીલાઇઝેશનના એક સ્વરૂપ તરીકે ભલામણ કરવામાં આવે છે. બટાટામાં છીછરી મૂળ સિસ્ટમ હોવાથી, ઓછા પિયતે થાય છે. પાક લીધા પછી, બટાટાને શેડમાં 10-15 દિવસ સુધી સૂકવવા જોઈએ જેથી ત્વચાનો ઉપચાર થાય. બટાટાના આંતર પાક માટે ખાસ કરીને શેરડી, વરિયાળી, ડુંગળી, સરસવ, ઘઉં અથવા અળસી આદર્શ છે.

માટી

બટાટા ખારા અને આલ્કલાઇન જમીન સિવાય લગભગ કોઈપણ પ્રકારની જમીન પર ઉગાડવામાં આવે છે. કુદરતી રીતે પોચી અને કંદની વૃદ્ધિ માટે ઓછામાં ઓછો પ્રતિકાર આપતી જમીનને પસંદ કરવામાં આવે છે. સેન્દ્રિય પદાર્થના રજકણથી ભરપુર અને ફળદ્રુપ રેતાળ જમીન, જૈવિક પદાર્થોથી સમૃદ્ધ અને સારી ડ્રેનેજ અને વાયુમિશ્રણ ધરાવતી જમીન બટાકાના પાકની ખેતી માટે સૌથી યોગ્ય છે. 5.2-6.4 pH રેન્જવાળી જમીન આદર્શ ગણાય છે.

વાતાવરણ

બટાટા એ સમશીતોષ્ણ આબોહવાનો પાક છે, જો કે તે વિવિધ આબોહવાની પરિસ્થિતિઓ હેઠળ વૃદ્ધિ પામે છે. તે ફક્ત તે જ સ્થળોએ ઉગાડવામાં આવે છે જ્યાં વધતી મોસમનું તાપમાન સાધારણ ઠંડું હોય છે. વનસ્પતિની વૃદ્ધિ 24° સેં તાપમાને શ્રેષ્ઠ રહે છે જ્યારે કંદનો વિકાસ 20°સે તાપમાને. આથી, બટાટા ઉનાળાના પાક તરીકે અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં શિયાળાના પાક તરીકે ઉગાડવામાં આવે છે. પાક દરિયાની સપાટીથી 3000 મીટરની ઉંચાઇ સુધી ઉભો કરી શકાય છે.

સંભવિત રોગો

બટાટા

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!


બટાટા

Solanum tuberosum

બટાટા

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

પરિચય

બટાટા મૂળ દક્ષિણ અમેરિકાના એન્ડીઝના છે. ભારતમાં છેલ્લા 300 વર્ષથી બટાટાની ખેતી કરવામાં આવે છે અને તે અહીના સૌથી લોકપ્રિય પાકમાંનો એક બની ગયો છે. બટાકા તેમના ખાદ્ય કંદ માટે ઉગાડવામાં આવે છે તે સસ્તો ખોરાક છે કારણ કે તેઓ મનુષ્યો માટે ઓછા ખર્ચે ઊર્જા સ્રોત પૂરો પાડે છે. બટાટામાં પુષ્કળ પોષક મૂલ્ય હોય છે કારણ કે તે સ્ટાર્ચ, વિટામિન (ખાસ કરીને C અને B1) અને ખનિજોથી સમૃદ્ધ છે. બટાકાનો સ્ટાર્ચ અને દારૂ ઉત્પાદન જેવા ઘણા ઔદ્યોગિક હેતુઓ માટે પણ ઉપયોગ થાય છે.

મહત્વની હકીકતો

પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
સીધું વાવેતર

લણણી
75 - 120 દિવસો

મજૂર
ઉચ્ચ

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.2 - 6.4

તાપમાન
23°C - 25°C

ફળદ્રુપતા
ઉચ્ચ

બટાટા

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

સલાહકાર

કાળજી

કાળજી

સફળ બટાટાના પાક માટે તંદુરસ્ત, રોગ મુક્ત બીજ કંદનો ઉપયોગ સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. છત્ર વિકસિત થાય ત્યાં સુધી છોડના સારા વિકાસ માટે (વાવેતર પછી લગભગ 4 અઠવાડિયાની અંદર) નિંદામણનો નિકાલ થવો જરૂરી છે. જમીનનું નીંદામણની વૃદ્ધિને મર્યાદિત કરવામાં અને જમીનને પોચી કરવામાટે દર 15-20 દિવસે જમીનનુ સુયોજન કરવુ પડે છે. બટાકાની પોષક જરૂરિયાત વધારે હોવાથી લીલા ખાતરને ફર્ટીલાઇઝેશનના એક સ્વરૂપ તરીકે ભલામણ કરવામાં આવે છે. બટાટામાં છીછરી મૂળ સિસ્ટમ હોવાથી, ઓછા પિયતે થાય છે. પાક લીધા પછી, બટાટાને શેડમાં 10-15 દિવસ સુધી સૂકવવા જોઈએ જેથી ત્વચાનો ઉપચાર થાય. બટાટાના આંતર પાક માટે ખાસ કરીને શેરડી, વરિયાળી, ડુંગળી, સરસવ, ઘઉં અથવા અળસી આદર્શ છે.

માટી

બટાટા ખારા અને આલ્કલાઇન જમીન સિવાય લગભગ કોઈપણ પ્રકારની જમીન પર ઉગાડવામાં આવે છે. કુદરતી રીતે પોચી અને કંદની વૃદ્ધિ માટે ઓછામાં ઓછો પ્રતિકાર આપતી જમીનને પસંદ કરવામાં આવે છે. સેન્દ્રિય પદાર્થના રજકણથી ભરપુર અને ફળદ્રુપ રેતાળ જમીન, જૈવિક પદાર્થોથી સમૃદ્ધ અને સારી ડ્રેનેજ અને વાયુમિશ્રણ ધરાવતી જમીન બટાકાના પાકની ખેતી માટે સૌથી યોગ્ય છે. 5.2-6.4 pH રેન્જવાળી જમીન આદર્શ ગણાય છે.

વાતાવરણ

બટાટા એ સમશીતોષ્ણ આબોહવાનો પાક છે, જો કે તે વિવિધ આબોહવાની પરિસ્થિતિઓ હેઠળ વૃદ્ધિ પામે છે. તે ફક્ત તે જ સ્થળોએ ઉગાડવામાં આવે છે જ્યાં વધતી મોસમનું તાપમાન સાધારણ ઠંડું હોય છે. વનસ્પતિની વૃદ્ધિ 24° સેં તાપમાને શ્રેષ્ઠ રહે છે જ્યારે કંદનો વિકાસ 20°સે તાપમાને. આથી, બટાટા ઉનાળાના પાક તરીકે અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં શિયાળાના પાક તરીકે ઉગાડવામાં આવે છે. પાક દરિયાની સપાટીથી 3000 મીટરની ઉંચાઇ સુધી ઉભો કરી શકાય છે.

સંભવિત રોગો