કાળજી
બટાટા મૂળ દક્ષિણ અમેરિકાના એન્ડીઝના છે. ભારતમાં છેલ્લા 300 વર્ષથી બટાટાની ખેતી કરવામાં આવે છે અને તે અહીના સૌથી લોકપ્રિય પાકમાંનો એક બની ગયો છે. બટાકા તેમના ખાદ્ય કંદ માટે ઉગાડવામાં આવે છે તે સસ્તો ખોરાક છે કારણ કે તેઓ મનુષ્યો માટે ઓછા ખર્ચે ઊર્જા સ્રોત પૂરો પાડે છે. બટાટામાં પુષ્કળ પોષક મૂલ્ય હોય છે કારણ કે તે સ્ટાર્ચ, વિટામિન (ખાસ કરીને C અને B1) અને ખનિજોથી સમૃદ્ધ છે. બટાકાનો સ્ટાર્ચ અને દારૂ ઉત્પાદન જેવા ઘણા ઔદ્યોગિક હેતુઓ માટે પણ ઉપયોગ થાય છે.
માટી
બટાટા ખારા અને આલ્કલાઇન જમીન સિવાય લગભગ કોઈપણ પ્રકારની જમીન પર ઉગાડવામાં આવે છે. કુદરતી રીતે પોચી અને કંદની વૃદ્ધિ માટે ઓછામાં ઓછો પ્રતિકાર આપતી જમીનને પસંદ કરવામાં આવે છે. સેન્દ્રિય પદાર્થના રજકણથી ભરપુર અને ફળદ્રુપ રેતાળ જમીન, જૈવિક પદાર્થોથી સમૃદ્ધ અને સારી ડ્રેનેજ અને વાયુમિશ્રણ ધરાવતી જમીન બટાકાના પાકની ખેતી માટે સૌથી યોગ્ય છે. 5.2-6.4 pH રેન્જવાળી જમીન આદર્શ ગણાય છે.
વાતાવરણ
બટાટા એ સમશીતોષ્ણ આબોહવાનો પાક છે, જો કે તે વિવિધ આબોહવાની પરિસ્થિતિઓ હેઠળ વૃદ્ધિ પામે છે. તે ફક્ત તે જ સ્થળોએ ઉગાડવામાં આવે છે જ્યાં વધતી મોસમનું તાપમાન સાધારણ ઠંડું હોય છે. વનસ્પતિની વૃદ્ધિ 24° સેં તાપમાને શ્રેષ્ઠ રહે છે જ્યારે કંદનો વિકાસ 20°સે તાપમાને. આથી, બટાટા ઉનાળાના પાક તરીકે અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં શિયાળાના પાક તરીકે ઉગાડવામાં આવે છે. પાક દરિયાની સપાટીથી 3000 મીટરની ઉંચાઇ સુધી ઉભો કરી શકાય છે.