કાળજી
તુવેરની હજારો વર્ષોથી ખેતી કરવામાં આવે છે અને તે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે કામ કરે છે. તેને અનાજ અથવા અન્ય કઠોળ સાથે ઘણીવાર આંતર પાક તરીકે લેવામાં આવે છે. તેને સામાન્ય રીતે ખાતર, સિંચાઈ અને જંતુનાશકની જરૂર ઓછી રહેતી હોવાથી સામાન્ય જમીનમાં તેનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત તે દુષ્કાળ પ્રત્યે પ્રતિરોધક હોવાથી, તે મકાઈ જેવા પાકો જે વારંવાર નિષ્ફ્ળ જાય છે તેનાં કરતા સારો વિકલ્પ છે.
માટી
તુવેરના છોડને વિવિધ પ્રકાર અને પરિસ્થિતિની જમીન અનુકુળ હોય છે. તેમ છતાં સારી રીતે પાણીના નિકાલ સાથેની, મધ્યમ, ચીકણી જમીન તેને માફક આવે છે અને પાણીના ભરાવાવાળી જમીનમાં ટકી શકતી નથી.
વાતાવરણ
તુવેર દુકાળ સામે ટકી શકે છે અને વાર્ષિક 650 મીમી કરતાં ઓછા વરસાદ ધરાવતા વિસ્તારોમાં પણ ઊગી શકે છે. તે 18 થી 29 ° સે વચ્ચેના તાપમાનમાં સારી રીતે ઉગે છે. તે પાણીના ભરાવા અને હિમ પ્રત્યે સંવેદનશીલ હોય છે. માટીનું તાપમાન તુવેરના અંકુરણ પર અસર કરી શકે છે. જો તુવેરના દાણાનું જમીનમાં સીધું જ વાવેતર કર્યું હોય તો 60 ° ફે તાપમાન ધરાવતી જમીનમાં બે અઠવાડિયાની અંદર જ અંકુર ફૂટે છે.